
સેલવાસ . દાનહ ભાજપ એસસી મોર્ચા ગ્રામીણનાં ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતે હરિત ક્રાંતિ સંદેશ સાથે મુક્તિ દિવસની ઉજવણી કરી છે. ગુલાબ રોહિત દાનહનાં ૬૯ મું મુક્તિ દિવસે નરોલી રોહિત ફળિયામાં લોકોને કેસર અને લંગડા આંબા અને બાંસનો પૌધાઓ આપ્યો હતો. સાથે ગુલાબ રોહિત લોકો સાથે પૌધારોપણ પણ કર્યો હતો.

વાઇલ્ડ લાઇફ એન્ડ વી. પ્રોટેક્શન ફાઉન્ડેશન પણ આ અભિયાનમાં સહભાગી બન્યો હતો. ગુલાબ રોહિતે કહ્યું અમે ૨ રાઉન્ડમાં આંબાની બે સારી પ્રજાતિના કલમો અને બાંસનો પૌધાઓ લોકોને આપ્યો હતો, જેને લોકોએ પોતાના ખાલી જગ્યાઓમાં લગાવી હરિયાળી કર્યો છે.વનો દાનહની પહેચાન છે. વધુમાં વધુ વૃક્ષારોપણ કરી આ પહેચાનને જાળવી રાખવાની છે.






