Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મલાણા તળાવમાં નર્મદાનું પાણી નહી ભરાય તો મહિલાઓ આંદોલન છેડશે

On: March 23, 2022 2:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર,
તા.22

પાલનપુર તાલુકાના મલાણા પંથકમાં સિંચાઈ અને પીવાના પાણીની
જટિલ સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ ઓએ બેઠક યોજી જળ સમસ્યાનો કાયમી ઉકેલ
લાવવામાં નહિ આવે તો મલાણા પંથકના ૫૦ ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે
પશુઓ સાથે પાલનપુર કલેકટર કચેરીએ દેખાવો યોજવાની ચીમકી ઉચ્ચારી હતી.

બનાસકાંઠામાં ભૂગર્ભ જળ સ્તર દિન પ્રતિદિન ઉંડા જઈ રહ્યા
હોય વિવિધ વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે.જેમાં
પાલનપુર તાલુકાના મલાણા પંથક છેલ્લા કેટલાય વર્ષો થી જળ સંકટનો સામનો કરી રહ્યો
હોય આ પંથકમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મલાણા ગામના તળાવમાં
નર્મદાનું ભરવાની માંગ સાથે તાજેતરમાં પચાસ ગામના ખેડૂતોએ મલાણા થી પાલનપુર સુધી
ટેક્ટર અને બાદમાં પગપાળા રેલી યોજી 
કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જળ સમસ્યાનું નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપવામાં
આવ્યું હતું.તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા ૨૨ માર્ચના વિશ્વ મહિલા દિવસે મલાણા
ખાતે મોટી સંખ્યામાં મહિલાની બેઠક મળી હતી.જેમાં સરકાર દ્વારા સત્વરે મલાણા
તળાવમાં પાણી ભરવામાં નહિ આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે
પોતાના પશુઓ સાથે કલેકટર કચેરી ખાતે દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જોકે મલાણા
તળાવ માં પાણી ભરવાની માંગ દિનપ્રતિદિન પ્રબળ બની રહી છે.જેમાં અગાઉ ખેડૂત આંદોલન
બાદ પણ માંગ સંતોષવામાં ન આવતા હવે મહિલા આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.

તળાવ પાણીથી ભરવા ખેડૂતોએ રેલી યોજી હતી

મલાણા તળાવના નર્મદાનું પાણી ભરવાની માંગ સાથે તાજેતરમાં
પચાસ ગામના પાંચ હજાર જેટલા ખેડૂતો મલાણાથી ટેક્ટર રેલી પાલનપુર આવ્યા હતા જ્યાં
આબુ હાઇવે થી પગપાળા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.તેમ છતાં
હોઈ કાર્યવાહી ન થતા હવે મહિલા ઓએ આંદોલનનો મિજાજ બનાવ્યો છે.

૨૫ માર્ચે 
યોજાનારું જળ આંદોલન મોકૂફ રખાયું

મલાણા તળાવમાં પાણી નાખવાની માંગ ને લઈ તા.૨૫ માર્ચના રોજજળ
આંદોલનનું એલાન  કરાયું હતું.પરંતુ ધો.૧૦
અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૃ થતી હોય ખેડૂતોની બેઠકમાં ૨૫ માર્ચના
જળ આંદોલનને મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો અને પરીક્ષા બાદ ૧૨ એપ્રિલે આંદોલનની
નવી રણનીતિ ઘડવામાં આવશે.

પાણીની માંગ નહિ સંતોષાય તો પશુઓ સાથે આંદોલન કરાશે

રમીલાબેન ચૌધરી નામની પશુપાલક મહિલાએ જણાવ્યું હતું મલાણા
પંથકમાં પાણીના અભાવે પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે.તેમજ સિંચાઈની મોટી સમસ્યા
સર્જાય છે ત્યારે સરકાર દ્રારા મલાણા તળાવમાં પાણી ભરવાની માંગ નહિ સંતોષાય તો
આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે પશુઓ સાથે પાલનપુર કલેક્ટર કચેરીમાં દેખાવો
કરવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!