Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વિદ્યાર્થીઓને પાણી અને ભોજનના પણ ફાંફા : બંકરમાં છાત્રોએ આશરો લીધો

On: February 27, 2022 3:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 26

રશિયા અને યુક્રેન વચ્ચે ખેલાઈ રહેલા ભીષણ યુધ્ધની માઠી અસરો
ખારકીવ શહેરમાં દેખાઈ રહી છે. ખારકીવ શહેરમાં યુક્રેનની મહત્વની મેડિકલ અભ્યાસ માટેની
યુનિવર્સીટીઓ હોઈ સાબરકાંઠા સહિત ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ હાલમાં યુનિવર્સીટી હોસ્ટેલના
બંકરમાં ભયજનક સ્થિતિમાં ક્ષણો વિતાવતા સાબરકાંઠાના ખારકીવમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓના
પરિવારજનો ચિંતિત બન્યા છે. 

યુક્રેનના ખારકીવ શહેરની મેડિકલ યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા
ફૈઝાન મેમણના પિતા ઈમ્તીયાઝભાઈએ જણાવ્યુ હતુ કે યુધ્ધ શરૂ થયા બાદ ફૈઝાને વિડીયો કોલીંગના
માધ્યમથી અહિના કેટલાક વિસ્તારોમાં થતા ધડાકાઓને સાંભળી બીક લાગતી હોવાનુ જણાવતા પરિવારને
ચિંતા થઈ રહી છે. વિદ્યાર્થીઓ બંકરમાં આશરો લઈ મોબાઈલ લાઈટના અજવાળે જમવાની વ્યવસ્થા
કરી રહ્યા છે જયારે વિદ્યાર્થીઓને પીવાનુ પાણી પણ બહારથી વેચાતુ લાવવુ પડે છે. તેવી
જ રીતે હિંમતનગરના ભાવેન્દ્રસિંહ ચૌહાણના પિતા દિલીપસિંહ ચૌહાણે પણ પોતાના દિકરા સહિત
અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હોસ્ટેલના બંકરમાં દહેશત ભરી સ્થિતિમાં ક્ષણો ગુજારી
રહ્યા હોવાની માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે બંકરમાં લાઈટના અભાવે હિટરની
વ્યવસ્થા પણ ન હોઈ અહિં માઈનસ ડીગ્રીમાં કડકડતી ઠંડીને કારણે વિદ્યાર્થીઓની ફિઝીકલ
હાલત પણ હવે કપરી બનતી જાય છે જેથી ભારતની એમ્બેસીએ ખારકીવમાં ફસાયેલા તબીબી વિદ્યાર્થીઓ
માટે ત્વરીત ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાવી તેમને સ્વદેશ લાવવા આયોજન કરવુ જોઈએ.

ખારકીવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ખારકીવથી
પોલેન્ડ અને રોમાનીયા જવા માટે કોઈ વાહન વ્યવસ્થા ઉપલબ્ધ નથી. ઉપરાંત ખારકીવના વિદ્યાર્થીઓને
હોસ્ટેલ કેમ્પસમાંથી બહાર નિકળવા માટે યુનિવર્સીટીના સત્તાવાહકોએ મનાઈ ફરમાવતા તેઓ
પોલેન્ડ કે રોમાનીયાની સરહદ સુધી પહોંચવા સફળ બન્યા નથી. રોમાનીયા અને પોલેન્ડની સરહદે
પહોંચવા માટે ઓછામાં ઓછો ૧૨ થી ૧૫ કલાકનો સમય લાગે
, તદઉપરાંત આ બન્ને દેશોની સરહદ સુધી પહોંચવા યુક્રેનની રાજધાની
કીવ થઈને જ જવુ પડે. જયાં હાલમાં રશીયા અને યુક્રેનની સેના વચ્ચે ભીક્ષણ યુધ્ધ ખેલાઈ
રહ્યુ છે ત્યારે  પહોંચવાનુ અસક્ય બન્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!