Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સમયસૂચકતા વધુ એક માનવ જિંદગીને બચાવી ગઈ

On: February 26, 2022 7:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– જામનગરના રણમલ તળાવમાં ઝંપલાવનાર યુવાનને ગણતરીની મિનિટોમાંજ બહાર કાઢી લેતાં યુવાનનો જીવ બચ્યો

– આપઘાતનો પ્રયાસ કરનાર માનસિક અસ્થિર એવા યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો

જામનગર તા. 26

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીની સમય સૂચકતા આજે ફરી એક માનવ જિંદગીને બચાવી ગઈ છે, અને સમયસર તળાવમાં પહોંચી જઈ ક્ષણભરની રાહ જોયા વગર તળાવમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનને પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધો છે, અને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડ્યો છે. જે મામલે સીટી એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58માં રહેતો જગદીશભાઈ વેરશીભાઈ ભાનુશાળી નામનો 45 વર્ષનો યુવાન કે જે છેલ્લા કેટલાક સમયથી માનસિક સમતુલા ગુમાવી બેઠો છે, જે આજે વહેલી સવારે પોતાના ઘેરથી નીકળી ગયા પછી સવારે આઠેક વાગ્યાના અરસામાં રણમલ તળાવના પાછળના ભાગમાં એકાએક પડતું મૂકી દીધું હતું.

આ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા એક યુવાને તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર શાખાની ટુકડી તૈનાત હતી, અને ફાયર ના ઇન્ચાર્જ ઉમેદ ગામેતી સહિતની ટુકડી તાત્કાલિક અસરથી સમય બગાડ્યા વિના ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

જેઓએ પાણીમાં ઝંપલાવી દઇ ભાનુશાળી યુવાનને જીવિત બહાર કાઢી લીધો હતો.

વધુ એક વખત ફાયર શાખાની ટુકડી ની સમયસૂચકતાથી એક માનવ જિંદગી બચી ગઇ હતી. જો એકાદ મિનિટ પણ મોડું થયું હોત તો યુવાનને જીવિત બહાર કાઢવું મુશ્કેલ બન્યું હોત.

જેને તાત્કાલિક અસરથી 108 નંબરનI ટીમ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડી દીધો હતો. જગદીશભાઈ ભાનુશાલીના પરિવારજનો પણ તેને શોધતા-શોધતા પાછળ આવી ગયા હતા અને જીજી હોસ્પિટલ પહોંચી ગયા છે જેને હાલ સારવાર ચાલી રહી છે તેઓએ ફાયરની ટીમનો આભાર માન્યો હતો.

આ સમગ્ર મામલાની જાણ થવાથી સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, તેમજ જી.જી.હોસ્પિટલે પણ પહોંચી જઇ આ બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!