Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

આણંદનો યુવાન, ચિખોદરા, ફીણાવ અને અમીયાદની યુવતીઓ લાપતા

On: February 5, 2022 9:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– જિલ્લામાં વ્યક્તિ ગુમ થવાનો સિલસિલો યથાવત 

– પરિવારજનોની શોધખોળ છતાં પતો ન લાગતા આણંદ શહેર-ગ્રામ્ય તેમજ વિરસદ અને ખંભાત પોલીસમાં જાણવા જોગ

આણંદ : આણંદ જિલ્લામાંથી ગુમ થવાના બનાવોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. વીતેલા દિવસો દરમ્યાન જિલ્લાના આણંદ શહેરનો પુરૂષ તેમજ ચિખોદરા, ફીણાવ તથા અમીયાદ ગામની ત્રણ અલગ-અલગ યુવતીઓ રહસ્યમય રીતે લાપત્તા થઈ હોવાના બનાવ અનુક્રમે આણંદ શહેર, આણંદ ગ્રામ્ય, ખંભાત ગ્રામ્ય અને વિરસદ પોલીસ દફતરે નોંધાયા છે.

મુળ બિહારના ઔરંગાબાદના જાગુ્ર પીપરના રહેવાસી સુનિલકુમાર રામેશ્વર યાદવ (ઉં.વ.૩૬) આણંદ ખાતે કામકાજ અર્થે આવ્યા હતા. જ્યાંથી ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થતા સરફરાઝ વ્હોરાએ આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ તાલુકાના ચિખોદરા ગામે સેજા તલાવડી વિસ્તારમાં રહેતા અશોકભાઈ ચંદુભાઈ તળપદાની ૨૦ વર્ષીય પુત્રી સરોજબેન ગત તા.૪ ફેબુ્રઆરીના રોજ નમતી બપોરના સુમારે મહેંદી મુકાવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ફરી લાપત્તા થઈ હતી. જે અંગે અશોકભાઈ તળપદાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુમ થવાના અન્ય બનાવની વિગતમાં ખંભાત તાલુકાના ફીણાવ ગામે પ્રાથમિક શાળા પાછળ રહેતા પ્રકાશભાઈ લાલજીભાઈ રોહિતની ૨૧ વર્ષીય પુત્રી ગાયત્રીબેન ગત તા.૨જી ફેબુ્રઆરીના રોજ બામણવા ગામે આવેલ કંપનીમાંથી પોતાના ઘરે ફીણાવ જવાનુ કહી નીકળ્યા બાદ ઘરે ન પહોંચી લાપત્તા થઈ હતી. જે અંગે પ્રકાશભાઈ રોહિતે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોરસદ તાલુકાના અમીયાદ ગામે બસ સ્ટેન્ડ પાસે રહેતા જશભાઈ હીરાભાઈ ચૌહાણની દિકરી લક્ષ્મીબેન (ઉં.વ.૨૨) ગત તા.૨જી ફેબુ્રઆરીના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપત્તા થઈ હતી. જે અંગે જશભાઈ ચૌહાણે વિરસદ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!