Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાં નવી ગુજરી બજારનું નિર્માણ

On: February 5, 2022 6:57 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– જાહેર માર્ગ પર ખડકી દેવાયેલી 10 રેકડીને મહાનગરપાલિકા દ્વારા કબજે કરી લેવાઈ

– પંચવટી વિસ્તારમાં ગુજરી બજાર નિર્માણ ન પામે તે માટે સ્થાનિકોની તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત

જામનગર તા. 05 

જામનગર શહેરના પંચવટી જેવા ધમધમતા વિસ્તારમાં આજે શનિવારે એકાએક ગુજરી બજારનું નિર્માણ થઇ ગયું હોવાનું ધ્યાનમાં આવતાં મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખા દોડતી થઇ છે, અને જાહેર માર્ગમાં અડચણ રૂપ 10 રેકડી કબજે કરી લીધી છે. જામનગરમાં બ્રુક બોન્ડ ગ્રાઉન્ડમાં શનિવારે ગુજરી બજાર ભરાતી હતી, પરંતુ ત્યાં નવી અદાલતનું નિર્માણ થઇ રહ્યું છ, ત્યારે ઉપરોક્ત જગ્યા સડક પિચરના નિર્માણ માટે અનામત રાખી દેવામાં આવી છે.અને ગેરકાયદે રીતે ભરાતી ગુજરી બજાર ને બંધ કરાવાઈ છે.

પરંતુ કેટલાક રેકડી પથારાવાળાઓ દર શનિવારે ગાંધીનગર તરફ જવાના માર્ગે જાહેરમાં બેસીને વેપાર-ધંધા ચલાવી રહ્યા છે, જેને દૂર કરવા માટે ની મહાનગરપાલિકા દ્વારા કવાયત ચલાવવામાં આવી રહી છે.

તેથી હવે રેકડી પથારાવાળાઓ પંચવટી વિસ્તારમાં ઊભા રહીને નવી બજારનું નિર્માણ કરી રહ્યા છે, અને જાહેર માર્ગ માં અડચણ ઉભી કરી રહ્યા છે, જેને લઇને જામનગર મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખાના અધિકારીઓ રાજભા ચાવડા અને સુનિલભાઈ ભાનુશાળી વગેરે પંચવટી વિસ્તારમાં પહોંચી ગયા હતા, અને જાહેર માર્ગ પર કટલેરી હોઝીયરી સહિતના માલસામાન સાથે દબાણ સર્જી રહેલા 10 રેંકડી ધારકોને ખસેડવાની કાર્યવાહી કરી હતી.

પરંતુ તેઓએ મહાનગરપાલિકાના તંત્ર સાથે રકઝક કરી હતી. આખરે તંત્ર દ્વારા 10 રેકડીઓ ને કબજે કરી લેવાઈ છે અન્ય કેટલાક પથારાવાળા અને રેંકડી ધારકોઓ પણ પંચવટીના જાહેર માર્ગ પર ગોઠવાઇ ગયેલા હતા. તેઓમાં નાસ ભાગ મચી ગઈ હતી અને આખરે પંચવટી જેવો અતી ધમધમતો અને પોશ ગણાતો વિસ્તાર મહાનગરપાલિકાએ ખુલ્લો કરાવ્યો છે.

પંચવટી વિસ્તારમાં રહેતા સ્થાનિક વેપારીઓ રહેવાસીઓ અને વેપારીઓ વગેરે દ્વારા ગુજરી બજારનું નિર્માણ ન થઈ જાય, તે માટેની પણ ઉગ્ર રજૂઆતો કરી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!