Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાતઃ અમદાવાદની હવાની ગુણવત્તા અસહ્ય, દિલ્હી-મુંબઈ-પુણે કરતાં ખરાબ સ્થિતિ

On: February 5, 2022 6:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– હૃદય અને ફેફસાંની સમસ્યાથી પીડાતા લોકો, વૃદ્ધો અને બાળકોએ સખત પરિશ્રમથી બચવું જોઈએ

અમદાવાદ, તા. 05 ફેબ્રુઆરી, 2022, શનિવાર

અમદાવાદની હવાની ગુણવત્તા શુક્રવારે ખૂબ જ ખરાબ નોંધાઈ હતી અને આ સાથે જ શહેરે પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હીનું નંબર-1નું સ્થાન પણ પચાવી પાડ્યું હતું. અમદાવાદે દેશના 4 શહેરોનું મોનિટરિંગ કરતાં SAFAR (સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ)ના અહેવાલમાં પ્રદૂષિતતાનો રેકોર્ડ તોડીને સૌથી ખરાબ હવાની ગુણવત્તા (AQI-એર ક્વોલિટી ઈન્ડેક્સ) નોંધાવી હતી. 

સવારના સમયે અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 311 µg/m3 અને સાંજે 7:00 કલાક આસપાસના સમયે તે વધીને 329 µg/m3 થયો હતો. પ્રદૂષણનું આ સ્તર જનસંખ્યા અને ખાસ કરીને સંવેદનશીલ જૂથ માટે ખૂબ જ જોખમી ગણાય છે. 

SAFARના અહેવાલ પ્રમાણે અમદાવાદ અને તેની આસપાસના 3 વિસ્તારો લેકાવાડા, રાયખડ અને બોપલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ દેશમાં સૌથી ઉંચો રહ્યો હતો અને તેના પછીના ક્રમે મુંબઈના મઝગાંવ અને મલાડ રહ્યા હતા. 

વિશ્વનું સૌથી પ્રદૂષિત કેપિટલ શહેર ગણાતું દિલ્હી શુક્રવારે અમદાવાદ કરતાં ઘણી સારી સ્થિતિમાં હતું અને સવારે દિલ્હીની હવાની ગુણવત્તા 176 µg/m3 અને સાંજે 132 µg/m3 નોંધાઈ હતી. આંકડાઓ જોતાં અમદાવાદમાં આગામી 3 દિવસ પણ હવાની ગુણવત્તાની આ અસહ્યતામાં કોઈ રાહત નથી દેખાઈ રહી. જોકે દિલ્હી અને મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધરવાની શક્યતા જણાઈ રહી છે. 

SAFAR દ્વારા આ સમયગાળા દરમિયાન લોકોને સખત પરિશ્રમ કરવાની ના પાડવામાં આવી છે. તે સિવાય હૃદય અને ફેફસાંની સમસ્યાથી પીડાતા લોકો, વૃદ્ધો અને બાળકોએ સખત પરિશ્રમથી બચવું જોઈએ. ઉપરાંત શ્વસનને લગતી સમસ્યા ધરાવતા લોકો માટે પણ ચિંતાજનક સ્થિતિ કહી શકાય. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!