[ad_1]
ભુજ, ગુરૃવાર
જી.કે. જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સુખાકારીમાં વાધારો કરવા ક્રમશઃ સુવિાધા વાધારવામાં આવી રહી છે. એ મુજબ હોસ્પિટલના નવજાત શિશુ કેર માટે અત્યંત ઉપયોગી એવા વાધુ ચાર સી-પેપ મશીન આવી જતાં આૃધૂરા મહિને જન્મેલા બાળક માટે સંજીવની પુરવાર થશે.
હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડો. રેખા થડાનીએ જણાવ્યું હતું કે, આ મશીનની એન.આઈ.સી.યુ.માં ખૂબ જ જરૃર હતી. જેની પૂત કરવાથી જરૃરિયાત સંતોષાશે. આ ચાર નવા મશીન આવવાથી સી-પેપની કુલ સંખ્યા ૧૧ની થતાં જરૃરિયાતમંદ બાળકો વાધુ લાભાન્વિત થાય છે. આ મશીનની ક્યારે જરૃર પડે એ અંગે તબીબોએ કહ્યું કે, ખાસ કરીને આૃધૂરા મહિને(પ્રિ- મેચ્યોર્ડ) બાળક જન્મયુ હતું અને જન્મની સાથે બાળકના ફેફસા નબળા હોય. ગર્ભમાં જ બાળક ગંદુ પાણી પી ગયું હોય તેમજ જન્મની સાથે જ શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે સી-પેપ ઉપર મૂકવામાં આવ્યું હોય છે, એમ કહેવાય. આ મશીન મારફતે સતત આક્સીજન પ્રેશર સાથે આવે છે. અને એકવાર પ્રેશરાથી શ્વાસ આવે અને ફેફસા ફુલે પછી સંકોચાતા નાથી. જેાથી બાળકને રાહત રહે છે. અને સૂતી વખતે સરળતાથી શ્વાસ પણ લઈ શકે છે. જ્યારે નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે નિયોનેટલ ઇન્સેંટિવ કેર યુનિટમાં ભર્તી કરવામાં આવે છે. ત્યારે મોટા મશીનને બદલે આ નાનું મશીન કારગર સાબિત થાય છે. અને ટ્રેકિયામાં ટયુબ લગાવ્યા સિવાય સીધા નાકાથી શ્વાસ આપી શકાય છે.
[ad_2]
Source link






