[ad_1]

– ગ્રામ્ય વિસ્તારમાં નવ દિવસની બ્રેક પછી ગઈકાલે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા
– જામનગર તાલુકાના બે તથા જામજોધપુરના એક કેસનો સમાવેશ
જામનગર તા 3૦,
જામનગર શહેર માં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન આગળ વધતું જાય છે, અને જામનગર શહેરમાં કોરોના ના કેસ બમણા થયા છે, અને ગઈકાલે વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે.જે કોરોનાનુ સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં પણ ફેલાયું છે, અને ગ્રામ્ય વિસ્તારના ગઈકાલે ત્રણ સહિત સમગ્ર જિલ્લાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત સપ્તાહમાં કોરોના ગ્રસ્ત પાંચ દર્દીના મૃત્યુ થયા હોવાથી ઘાતક બનેલા કોરોનાથી લોકોએ સાવધાન રહેવું જરૂરી છે.
જામનગર શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્રએ પણ ચિંતા વ્યક્ત કરીને કોરોનાના ટેસ્ટની કાર્યવાહી બમણી કરી દેવામાં આવી છે.
જામનગર શહેરમાં કોરોના પોઝીટીવ કેસની રફતાર બમણી થતી જાય છે. જામનગર શહેરમાં પરમદીને બે કોરોના પોઝેટીવ કેસ નોંધાયા પછી ગઈકાલે કેસનો આંકડો ડબલ થયો છે, અને વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના કારણે મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.
આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ 1૦ દિવસના વિરામ પછી કોરોનાએ પંજો ફેલાવ્યો છે, અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જામનગર તાલુકાના બે, અને જામજોધપુર પંથકના એક પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં એક જ દિવસમાં સાત પોઝિટિવ કેસ ને લઈને તંત્રની દોડધામ વધી છે.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ની ટિમ દ્વારા કોવિડ ટેસ્ટિંગ ની પ્રક્રિયા વધારી દેવામાં આવી છે અને જામનગર શહેરમાં 1,5૦2 લોકોનું કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને અત્યાર સુધીના 5,9૦,7૩9 લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે. તે જ રીતે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં 1224 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન શહેર અને જિલ્લાના કુલ 2,726 લોકોનું કોવિડ પરીક્ષણ કરાયું છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોરોનાના ૩ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાં 1 દર્દીને બાયપેપ પર રાખવામાં આવ્યો છે. ત્યારે અન્ય બે દર્દીઓ રૂમ-એર પર સારવાર હેઠળ છે.
[ad_2]
Source link






