Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર જિલ્લાના લાલપુર તેમ જ દડીયા ગામમાં 'વહુ ઘેલા' બે યુવાનોએ આત્મહત્યા કરી લેતાં ચકચાર

On: December 30, 2021 11:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– દડિયા ગામના એક યુવાનની પત્ની રિસામણે ચાલી જતાં ટ્રેન હેઠળ પડતું મુકી દઈ પોતાનો જીવ દીધો

 – લાલપુરના ખડ-ખંભાળિયામાં પણ પત્નીના વિયોગમાં એક યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત

 જામનગર તા ૩૦, 

જામનગર જિલ્લામાં પત્નીના વિયોગમાં આત્મહત્યા કરી લેવાના બે કિસ્સાઓમાં સામે આવ્યા છે. જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતા એક યુવાનની પત્ની રીસાઇને માવતરે ચાલી જતાં તેના વિયોગમાં ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. ઉપરાંત જામનગરના જ એક યુવાને લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામ માં જઈ પોતાની પત્નીના વિયોગમાં જેવી દવા પી લઈ આપઘાત કરી લીધો છે.

જામનગર તાલુકાના દડીયા ગામ માં રહેતા અને માલધારી નો વ્યવસાય કરતાં મચ્છાભાઈ સામતભાઈ ધ્રાંગિયા નામના 26 વર્ષના યુવાને ગઈકાલે બપોરે જામનગર નજીકના વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન પર ટ્રેન હેઠળ પડતું મુકી દઇ આત્મહત્યા કરી દીધી છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ રવજીભાઈ સામતભાઈએ પોલીસને જાણ કરતાં  પંચકોશી બી ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી થઇ હોવાથી તેની પત્ની રીસાઇને માવતરે ચાલી ગઈ હતી. જેનું મનમાં લાગી આવતાં તેણે ગઈકાલે ટ્રેન હેઠળ પડતું મુકી દઈ પોતાનો જીવ દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ ઉપરાંત પત્નીના વિયોગમાં આપઘાતનો બીજો કિસ્સો લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામમાં બન્યો હતો. જામનગરમાં મયુરનગર નજીક પાણાખાણ વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા ભરત અમુ ભાઈ સમેજડિયા નામના ૩5 વર્ષના યુવાને લાલપુર તાલુકાના ખડખંભાળિયા માં જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે ખડખંભાળિયા ગામમાં જ રહેતા મૃતકના પિતા અમુભાઈ કારાભાઈએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાનની પત્ની છેલ્લા સાત દિવસ પહેલાં રિસાઈને તેના માવતરે ચાલી ગઈ હતી. જેનું મનમાં લાગી આવતા તેણે આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે. સમગ્ર મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!