આજ રોજ હાલર તળાવ સ્થિત ભૂળેશ્વર મંદિરનાં પ્રાંગણ માં હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલાં સી ડી એસ જનરલ વિપિન રાવત અને સાથે અન્ય ૧૨- વીર સપૂતો માટે શ્રધ્ધાંજલી કાર્યક્ર્મ આયોજીત કરેલાં. સદર કાર્યક્રમ માં ડોકટર કશ્યપ મોકરિયાએ સૈનિકોનાં જીવન ચરિત્ર વિષયે સમઝણ આપી તથા મહિલા પતંજલિ યોગ સમિતિ, વલસાડ નાં બહેનો દ્વારા ગીતા ના ૧૨- મું અને ૧૫- મું અધ્યાય નું પઠન તેમજ શાંતિ પ્રાર્થના કરવામાં આવેલ. પ્રસંગ માં ઉપસ્થિત બ્રાહ્મણ સમાજ નાં સભ્યો દ્વારા કવિતા ના માધ્યમથી શહીદો ને શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવેલ. સદર પ્રસંગમાં મોટી સંખ્યા માં દેશભક્ત નાગરિકો તેમનાં શ્રધ્ધા સુમન અર્પિત કર્યા.
વલસાડ હાલર તળાવ ખાતે શહીદ સી ડી એસ વીપીન રાવતને અપાઇ શ્રધ્ધાંજલી
By Khabar dar
On: December 12, 2021 1:45 PM







