Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અરવલ્લીમાં 15 દિવસમાં કોરોનાના ત્રણ કેસ મોડાસામાં છ બેડનો ઓમિક્રોન વોર્ડ ઉભો કરાયો

On: December 10, 2021 2:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.9

છેલ્લા ૨૨ માસથી રાજયભરમાં કોરોનાનું સંક્રમણ વ્યાપ્યું છે.
થોડાક અંતરાલના વિરામ બાદ કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી વિશ્વભરમાં ફફડાટ
ફેલાયો છે.ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસમાં ૩ વ્યક્તિ કોરોના વાયરસથી
સંક્રમીત થતાં તંત્ર દ્વારા મોડાસા ખાતે ૬ બેડનો ઓમિક્રોન વોર્ડ સાર્વજનિક
હોસ્પિટલ ખાતે ઉભો કરાયો છે. જયારે ૧૪૫ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલ કાર્યરત કરાઈ
છે.અને જરૂર જણાય જિલ્લાના વાત્રક અને ભિલોડા ખાતેની હોસ્પિટલોમાં સારવાર સેવા શરૂ
કરવામાં આવનાર હોવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.

ગત વર્ષે દિવાળી બાદ રાજયમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની
ચૂંટણીઓ પછી કોરોના સંક્રમણની ઘાતક બીજી લહેરમાં કેટલીય માનવ જીંદગીઓ હોમાઈ ગઈ
હતી. ત્યારે હવે ૧૯ મી ડીસેમ્બરે યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ
,લગ્નસરાની
ખીલેલી મોસમ અને રાજકીય પક્ષોની યાત્રાઓ
,સભાઓથી માંડી કોવીડ
ગાઈડ લાઈનના ભંગ કરતા જુદાજુદા કાર્યક્રમો ત્રીજી લહેર લાવી ને જ ઝંપશે એમ મનાઈ
રહયું છે. છેલ્લા ૧૫ દિવસમાં અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણના ૩ કેસ નોંધાયા
છે. ભિલોડાના કોરોનાગ્રસ્ત તબીબના સેમ્પલ જીનોમ 
સીકવન્સીંગમાં મોકલી અપાયા છે અને તંત્ર આ રીપોર્ટની રાહ જોઈ રહયું
છે.ત્યારે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે તંત્ર દ્વારા છ બેડનો ઓમિક્રોન વોર્ડ
ઉભો કરાયો છે. સાર્વજનિક હોસ્પિટલ ખાતે જ ૧૪૫ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલ કાર્યરત
કરાઈ છે
,અને જરૂર પડે વાત્રક અને ભિલોડા ખાતેની હોસ્પિટલોમાં
પણ સારવાર સેવા શરૂ કરવાની તૈયારીઓ પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનારછે. ત્યારે
આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તંત્ર કોવીડ ગાઈડ લાઈનનું કડક રીતે પાલન કરાવે
,રસીકરણ ઝુંબેશને વેગ અપાય અને જિલ્લામાં દરેક વ્યક્તિ માસ્ક પહેરી સોશીયલ
ડિસ્ટન્સીંગનું પાલન કરે તે જરૂરી મનાય છે.

અરવલ્લી જિલ્લામાં એક 
એકિટવ કેસ

અરવલ્લી જિલ્લામાં ધીમે પગલે કોરોનાનું સંક્રમણ વધતું જણાય
છે. છેલ્લા ૧૫ દિવસમાં ૩ પોઝીટીવ કેસ મળ્યા છે
,હાલ ૧ એક્ટિવ કેસ હોમ
કર્વારન્ટાઈન કરાયેલ છે. જયારે અરવલ્લીના પડોશી જિલ્લા ખેડામાં ૦૪ એકટીવ અને ૮૭
કર્વારન્ટાઈન
, મહિસાગર જિલ્લામાં ૧ એકટીવ કેસ અને સાબરકાંઠા
જિલ્લામાં ૩૦ દર્દી કર્વારનટાઈન કરાયેલ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના
બનાસકાંઠા જિલ્લામાં ૩ પોઝીટીવ કેસ નોંધાયા છે.

એક અઠવાડિયામાં ૨૬૨૮૮ વ્યક્તિઓએ રસીનો બીજો ડોઝ મેળવ્યો

અરવલ્લી જિલ્લાની આશરે ૧૧ લાખની વસ્તી પૈકી ૮,૩૫,૩૯૫ નાગરિકો રસીપાત્ર ગણી લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. છેલ્લા ૧૧ માસની
રસીકરણ ઝુંબેશમાં હજુ ૧.૧૪ લાખ વ્યક્તિઓ રસી લેતાં જ નથી
,પરંતુ
કોરોના ના નવા વેરીએન્ટ ઓમિક્રોનના ફફડાટને લઈ જિલ્લામાં એક અઠવાડીયામાં જ ૨૬૨૮૮
નાગરિકોએ રસીનો બીજો ડોઝ મેળવ્યો છે. જિલ્લામાં પ્રથમ ડોઝ રસીનો ૮૬ ટકા અને બીજો
ડોઝ રસીનો ૧૦૦ ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરાયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!