Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સાત દિવસમાં તાપમાનનો પારો 13 ડીગ્રી ગગડ્યો, ભેજનું પ્રમાણ 18 ટકા વધ્યુ

On: December 2, 2021 12:32 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: જિલ્લામાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે જિલ્લામાં 45 હજાર હેક્ટરથી વધુ શિયાળુ વાવેતર અને ઉત્પાદીત ખેત પેદાશોને નુકસાનની ભીતિ છે.આથી ખેડૂતોને અગમચેતીના પગલા લેવા અને પાક સંરક્ષણ અને ઉત્પાદિત ખેત પેદાશો માટે સંરક્ષણના પગલા લેવા જણાવાયું છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સાઇક્લોન સરક્યુલેશન તેમજ વેસ્ટર્ન ડિસ્ટબન્સ એમ 3 કારણના કારણે શિયાળામાં ચોમાસુ બેઠુ છે. 1 થી 3 ડિસેમ્બર સુધી જિલ્લામાં વરસાદી ઝાપટા થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. મંગળવારે રાતથી જ જિલ્લામાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે દિવસ ભર વાદળછાયું વાતાવરણ છવાઇ રહેવાના કારણે કાતિલ ઠંડી વર્તાઈ રહી છે. જિલ્લામાં વાતાવરણની વાત કરીએ તો હવાનું દબાણ તા.30ના રોજ 1012 મીલીબર બારોમીટર પર નોંધાયુ હતું. જ્યારે તા.1ના રોજ 1015 અને ગુરૂવારે 1014 રહ્યું હતું. આમ હવાના દબાણમાં ફેરફાર જણાયો હતો. જ્યારે હવાની ગતિ તા.30ની સરખામણીએ આજે રોજ 7 કિમી જેટલો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 30 તારીખે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 36 ટકા હતું. જેમાં આજ સુધી 60 ટકા વધારો થયો છે. આજે જિલ્લામાં ભેજનું પ્રમાણ 96 ટકા નોંધાયુ છે.  

જિલ્લામાં 46 હજાર હેક્ટરથી વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરાયુ છે. તેને નુકસાની થવાનો ભય છે. અગાઉ ચોમાસુ પાકમાં ખેડૂતોને પહેલા બિલકુલ ઓછો વરસાદ ત્યારબાદ અતિવૃષ્ટિને લઇ ચોમાસુ પાક બગડ્યો છે. ત્યાં ભરશિયાળે ચોમાસુ વાતાવરણે શિયાળુ પાકને પણ નુકસાની પહોંચવાની ભીતિ છે.

જિલ્લામાં છેલ્લા સાત દિવસનું તાપમાન સેલ્સિયસમાં

તારીખ લઘુત્તમ મહત્તમ
26-11-2021 21 31
27-11-2021 32 34
28-11-2021 31 34
29-11-2021 23 32
30-11-2021 24 32
1-12-2021 20 23
2-12-2021 18 18

શુક્રવાર બપોર પછી વાતાવરણ સ્થિર થાય તેવી સંભાવના

ભરૂચ: ખેડૂતોએ ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો જરૂરી છે. ખેતપેદાશને તાડપત્રી ઢાંકીને રાખવુ વધારે હિતાવહ છે. આ બે ત્રણ દિવસ જો ખેડુતો પોતાની ખેતપેદાશો વેચવાનું ટાળે એ તેમના માટે વધુ ફાયદાકારક છે. શિયાળુ ઊભા ખેત પાકોમાં શક્ય હોય તો પિયત આપવુ ટાળવું, શુક્રવાર બપોર પછી ધીરે ધીરે વાતાવરણ સ્થિર થાય અને વરસાદ બંધ થાય તેવી સંભાવના છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!