Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા કોર્પોરેશનની હદમાં ગામોનો સમાવેશ થતાં પ્રાથમિક સુવિધા નહીં મળતાં વિવાદ

On: November 24, 2021 2:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

વડોદરા નજીક આવેલા અણખોલના નવા રહેણાંક વિસ્તાર એલએન્ડટી નોલેજ સીટી તેમજ તક્ષ ગેલેક્ષીને સયાજીપુરા ટાંકી માંથી પાણી આપવામાં આવશે.

સયાજીપુરા ટાંકીના રીમોટ એરિયામાં કેટલાય સમયથી પૂરતા પ્રેશરથી પાણી નહિ મળવાની સમસ્યા છે ત્યારે નવા વિસ્તારને પાણી આપવાનો નિર્ણય કેટલો યોગ્ય?

પાલિકા દ્વારા શહેરની આસપાસના ગામોનો પાલિકામાં સમાવેશ કરવા માટે જેટલું ઉતાવળિયું પગલું લેવાય છે. તેટલી જ ઉતાવળથી તે વિસ્તારના વિકાસ માટે કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે અંતે નાગરીકોને વેદના સહન કરવી પડે છે.

પાલિકા દ્વારા શહેર નજીકના દરજીપુરા, અણખોલ સહિતના વુડાની હદના ગ્રામ્ય વિસ્તારનો શહેરમાં સમાવેશ તો કર્યો પણ આટલા વર્ષોથી તેઓને સુવિધાના નામે મીંડું મળી રહ્યું છે. પાંચ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો તેમ છતાય પ્રાથમિક સુવિધાઓ આપી શકાઈ નથી. પાલિકામાં સમાવિષ્ટ થતાની સાથે જ આવક તો વધી પણ આવક માંથી ઓજી વિસ્તારના વિકાસ માટે પાલિકાએ ખર્ચ કર્યો નથી.

શહેરના અણખોલ ગામ(બાપોદ ઓજી) વિસ્તારમાં આવતા તક્ષ ગેલેક્ષી બંગલો,મોલ તેમજ એલએન્ડટી નોલેજ સીટી વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી ન હતી. અણખોલ ગામનો પાલિકામાં સમાવેશ તો થઇ ગયો પણ તેઓને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી ન હતી. તેઓની આ સમસ્યાનો કાયમી નિકાલ કરવાને બદલે પાલિકા હવે તેનો હંગામી નિકાલ કરવા માટે 91 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કરશે.  

સયાજીપુરા પાણીની ટાંકીમાંથી 400 ડાયાની પાણીની લાઈન નેશનલ હાઈવેને અડીને નાખવામાં આવશે જે લાઈન માંથી બાપોદ ઓજી (અણખોલ ગામના રહેણાંક અને કોમર્શીયલ) એકમોને પાણી પૂરું પાડવામાં આવશે. આ આયોજન ફક્ત હંગામી ધોરણે કરવામાં આવ્યું છે. જે હંગામી કામ માટે 91 લાખ રૂપિયાનો ખર્ચ પાલિકા દ્વારા કરવામાં આવશે. 

ભવિષ્યમાં આ વિસ્તાર માટે ઓવરહેડ પાણીની ટાંકી તેમજ ભૂગર્ભ સંપ બનાવવાનું આયોજન છે. પરંતુ આ આયોજન ન થાય ત્યાં સુધી સયાજીપુરા ટાંકી માંથી પાણી આપવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે સયાજીપુરા પાણીની ટાંકી માંથી હાલ જે વિસ્તારમાં પાણી પહોચે છે ત્યાં આજે પણ પૂરતા પ્રેશરથી પાણી નહિ મળવાની વારંવારની ફરિયાદો ઉઠી છે. એટલું જ નહિ હજી વિસ્તાર સંપૂર્ણ પણે વિકસિત થયો નથી.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!