Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કોંગ્રેસે આવેદનપત્ર આપતા શાસકોની આંખ ખુલી અમદાવાદમાં પાણી પહોંચતું ન હોય એવા સ્થળોએ બોર બનાવવા મંજુરી

On: March 24, 2022 12:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,બુધવાર,23
માર્ચ,2022

મંગળવારે વર્લ્ડ વોટર ડેના દિવસે અમદાવાદમાં ૨૪ કલાક પાણી
આપવાની હાંકવામાં આવતી ગુલબાંગની વચ્ચે પુરતા પ્રેસરથી અનેક વિસ્તારમાં પાણી મળતુ
ના હોવા અંગે કોંગ્રેસ તરફથી મેયરને આવેદનપત્ર અપાયુ હતું.આવેદનપત્ર અપાયાના એક
દિવસ બાદ પાણી સમિતિની મળેલી બેઠકમાં શહેરમાં પાણી પહોંચતું ન હોય એવા સ્થળોએ નવા
બોર બનાવવા રજુ કરવામાં આવેલી તાકીદની દરખાસ્ત સત્તાધારી પક્ષને મંજુર કરવાની ફરજ
પડી હતી.પૂર્વ અમદાવાદ સહિત અન્ય તમામ ઝોન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં
મંગળવારે ખાલી માટલાં સાથે મેયરને પુરતા પ્રેસરથી પાણી આપવાની માંગ સાથે આવેદનપત્ર
આપવામાં આવ્યું હતું.બુધવારે પાણી સમિતિના ચેરમેન જતીન પટેલની અધ્યક્ષતામાં મળેલી
બેઠકમાં વોટર ઓપરેશન વિભાગ તરફથી બોરવેલ બનાવવા મંજુરી માંગતી તાકીદની બે દરખાસ્ત
મંજુર કરવામાં આવી છે.પૂર્વ અમદાવાદના ઉત્તર
,પૂર્વ
અને દક્ષિણ ઝોનમાં તથા અન્ય ઝોનમાં જુદા જુદા વોર્ડમાં જે સ્થળોએ વોટર
ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું પાણી પહોંચતુ ના હોય તેવા આઈસોલેટેડ સ્થળો ઉપર તેમજ હયાત
બોરવેલ ફેઈલ થાય તેવા સંજોગોમાં ૩૫૦ બાય ૨૫૦ એમ.એમ.ડાયાના તથા ૩૧૦ મીટર ઉંડાઈના
બોરવેલ પ્રતિ બોરવેલ ૨૬
,૩૧,૩૨૨ના ભાવથી બે
કરોડની ખર્ચ મર્યાદામાં બનાવવા મે.ન્યાલકરણ ટયુબવેલ કંપની અને મે.જય વિજય
કનસ્ટ્રકશન કંપનીને વર્ક ઓર્ડર આપવા મંજુરી આપવામાં આવી છે.આ બંને દરખાસ્ત હવે
સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી માટે મુકાઈ છે.પાણી સમિતિ તરફથી અમદાવાદમાં કયાંય
પાણીની તકલીફ નહીં પડે એવા કરવામાં આવેલા દાવાની વચ્ચે વિપક્ષે આપેલા આવેદનપત્રના
ગણતરીના કલાકોમાં સમિતિને શહેરમાં નવા બોરવેલ બનાવવાની દરખાસ્ત મંજુર કરવી પડી એ
દર્શાવે છે કે
,શહેરમાં
પાણી મામલે બતાવાતા આભાસી ચિત્રની વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ અલગ જ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!