Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદથી રતલામ જતી 6 ટ્રેનો હવે છાયાપુરી સ્ટેશનથી જશે

On: March 22, 2022 2:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર

અમદાવાદથી રતલામ જતી ૬ ટ્રેનો હવે વડોદરાને બદલે છાયાપુરી રેલવે સ્ટેશન થઇને આગળ વધશે. આ ટ્રેનોને હવે વડોદરા સ્ટેશને જવું, એન્જિન બદલીને રિવર્સમાં આવવું તે ઝંઝટ અને સમયના વ્યયમાંથી મુક્તિ મળશે. જેના કારણે ૧૫ થી ૨૦ મિનિટના સમયની બચત થશે.

ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપેસ તા.૨૫ માર્ચથી છાયાપુરી સ્ટેશન થઇને દોડશે. ગાંધીધામ-કામાખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ તા. ૨૬ માર્ચથી, ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ તા. ૨૯ માર્ચથી, ઓખા-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ તા.૨૪ માર્ચથી , ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ તા. ૨૬ માર્ચથી વડોદરાને બદલે છાયાપુરી સ્ટેશન થઇને સંચાલીત કરાશે.

ભુજ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ હાલમાં બંધ છે. આ ટ્રેન પણ જ્યારે ચાલુ થશે ત્યારે તે પણ છાયાપુરી સ્ટેશન થઇને જ દોડશે. પરતમાં પણ આ ટ્રેનો વડોદરા નહીં જાય, બંને દિશાઓમાં આ ટ્રેનો છાયાપુરી રેલવે સ્ટેશનેથી જ અવર-જવર કરશે. જેના કારણે મુસાફરી સમયમાં અને ઇંધણ ખર્ચમાં બચત થશે. આની સાથે વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનોનું ભારણ ઘટતા ત્યાં પણ ટ્રેનોનું સંચાલન સરળ બનશે. 

ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં પણ ફેરફાર થયો છે. મુસાફરોએ રેલવેની વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર પરથી આ ટ્રેનોના સંચાલન વિશેની પુરતી માહિતી મેળવીને મુસાફરી અંગેનો નિર્ણય લેવો તેવું રેલવેના અધિકારીઓએ જણાવ્યું છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!