Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદઃ બાપુનગરમાં ખેલાયો ખૂની ખેલ, જમાઈએ કરી સાસુની હત્યા

On: March 21, 2022 2:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સાસુએ દીકરીને તેમની મોકલવાની ના પાડતા જમાઈ ઉશ્કેરાયો અને હત્યા કરી નાખી

અમદાવાદ, તા. 21 માર્ચ 2022, સોમવાર 

અમદાવાદના બાપુનગરમાં જમાઈએ જ સાસુની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે નાના-મોટા ગુનામાં સંડોવાયેલા પતિએ પિયર આવેલી પત્નીની જાણ બહાર પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પતિએ સાસરીમાં જઈને જણાવ્યું હતું કે, તેમણે બીજા લગ્ન કરી લીધા છે અને હવે તે બંને પત્નીને સાથે રાખશે. આ સાંભળીને સાસુ-સસરાએ દીકરીને તેમની સાથે મોકલવાનો ઈનકાર કર્યો હતો તેથી જમાઈએ સાસુ-સસરા પર છરીના ઘા કર્યા હતા. સાસુની હાલત ગંભીર બની જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. 

આ ઘટનાની વિગત એવી છે કે, 51 વર્ષીય ટીના ભાઈ રાજભર તેમના પરિવાર સાથે બાપુનગરમાં રહે છે અને તેઓ એક કન્સ્ટ્રક્શન ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. દીકરાનું નામ વિકાસ અને દીકરીનું નામ શ્રધ્ધા છે.  શ્રધ્ધાના લગ્ન 2020માં દીપુ પગી સાથે થયા હતા. તેમનો જમાઈ દીપુ ચોરી કરતો હતો અને તે રીક્ષા ચોરીમાં પકડાયો હતો. દીપુ બીજા પણ અનેક નાના-મોટા ગુનામાં સંડોવાયેલો હોવાથી તેની પત્ની પિયર આવી ગઈ હતી. ત્યારબાદ દીપુએ પાછળથી તેની પત્ની શ્રધ્ધાની જાણ બહાર બીજા લગ્ન પણ કરી લીધા હતા અને તે અવારનવાર ટીના ભાઈના ઘરે આવતો હતો. 

તા. 20-03-2020ના રોજ જમાઈ દીપુ ફરીથી ટીનાભાઈના ઘરે આવ્યો હતો અને થોડે દૂર ઊભો રહી બૂમો પાડીને કહેવા લાગ્યો કે, તમારી દીકરીને મારી સાથે મોકલો ત્યારે ટીનાભાઈના પત્નીએ કહ્યું કે, તમે બીજા લગ્ન કરી લીધા છે તેથી અમે અમારી દીકરીને તમારી સાથે કદી નહીં મોકલું તેથી હવે પછી તું અમારા ઘરે ક્યારેય ન આવીશ. આ સાંભળતા જ દીપુ એકદમ ઊશ્કેરાઈ ગયો અને ટીનાભાઈ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો તેથી તેમની પત્ની અને દીકરી વચ્ચે પડતા તેમને માર મારવા લાગ્યો હતો તેથી ટીનાભાઈ અને તેમની પત્ની તેમની દીકરીને બચાવવા જતા દીપુએ ઊશ્કેરાઈ જઈ ટીનાભાઈને છરી કાઢી બે ઘા માર્યા હતા. આ દરમિયાન સાસુ સાવિત્રી બેન વચ્ચે પડતા તેમને જીવલેણ છરીનો ઘા કરી જમાઈ દીપુ ત્યાથી ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે બાપુનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!