Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડને આખરે લાંબા સમય પછી લગાવાયા તાળા

On: March 3, 2022 8:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– જી.જી. હોસ્પિટલમાં કોરોનાના અંતિમ દર્દીને પણ રજા આપી દેવામાં આવી હોવાથી કોવિડ વિભાગ આજે સંપૂર્ણપણે ખાલી થયો

– જામનગર શહેરમાં કોરોના કેસ ત્રણ દિવસથી શુન્ય: જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો

જામનગર તા 0૩, 

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો હતો, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ કોરોના ના દર્દીઓથી ઉભરાઇ હતી. પરંતુ હોસ્પિટલ તંત્ર તેમજ આરોગ્ય તંત્રની સતર્કતાને લઈને ધીમે ધીમે કોરોનાની લહેર કાબૂમાં આવી ગઈ છે.તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ કે જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી કોરોનાના કેદીઓ સારવાર માટે આવી રહ્યા હતા. જે કોવિડ હોસ્પિટલના તમામ વોર્ડ અને આખરે આજે તાળા મારી દેવાનો વારો આવ્યો છે, અને હોસ્પિટલ તંત્રએ ખુબજ રાહતનો શ્વાસ લીધો છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં એક તબક્કે ત્રણસોથી સાડા ત્રણસો દર્દીઓ સારવાર મેળવી રહ્યા હતા. કેટલાક દર્દીઓએ કોરોનાના કારણે જીવ પણ ગુમાવ્યા છે, જેમાં કેટલાક દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો કેટલાક દર્દીઓ અન્ય બીમારીના કારણે પણ મૃત્યુ પામ્યાનું જાહેર કરાયું છે.

છેલ્લા કેટલાક દિવસથી ત્રીજી લહેર સમાપ્તિ તરફ આગળ ધપી રહી હતી, તે મામલે આજે જી.જી.હોસ્પિટલમાંથી સારા સમાચાર મળ્યા છે. છેલ્લા એકાદ સપ્તાહમાં બે ત્રણ દર્દીઓ સારવાર હેઠળ હતા, જે પૈકીના અંતિમ દર્દીને પણ ગઈ કાલે જી.જી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હોવાથી આજે સમગ્ર કોવિડ વિભાગના તમામ વોર્ડને તાળા મારી દેવાનો વારો આવ્યો છે, અને કોરોના ની ત્રીજી લહેરની સમાપ્તિ થઈ ગઈ છે.

જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસનો આંકડો શુન્યનો રહ્યો છે. પરંતુ જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે એક માત્ર પોઝિટિવ કેસ નોંધાયો હતો, અને કોરોનાના વળતા પાણી થઇ ગયા હોવાથી જામનગર શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!