Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: વાઘોડિયાના TDO ફરી વિવાદમાં, માનસિક રીતે ત્રસ્ત તલાટીઓનો મોરચો

On: March 3, 2022 6:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવા આવેલા મહિલા ટીડીઓ સતત વિવાદમાં સપડાયેલા રહે છે. આ વખતે તેમની સામે ખુદ તેમના તાબા હેઠળના તલાટીઓએ મોરચો માંડતા જિલ્લા પંચાયતની વહીવટી તંત્ર ચોંકી ઉઠયું છે.

જાહેરમાં અપમાનિત કરે છે, પંદર દિવસથી મીટીંગ લે છે

વાઘોડિયાના તલાટીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયા અમારી પાસે કામ માંગે તેનો વાંધો નથી. પરંતુ તેઓ જાહેરમાં અપમાનિત કરી માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. જેથી હવે આ ત્રાસ અમારા થી સહન થતો નથી. તેઓ પંદર દિવસથી મીટીંગો લેતા હોવાથી અમે ગામમાં જઈ શકતા નથી.

રજાના દિવસે પણ કલાકો બેસાડી રાખે છે

તલાટીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, રજાના દિવસે પણ અમને કચેરીમાં બોલાવવામાં આવે છે અને કોઈપણ જાતની કામગીરી ની ચર્ચા કર્યા વગર કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. જેથી રજાના દિવસે અમોને ઇમરજન્સી કામ સિવાય બોલાવવામાં ના આવે તેવી માગણી છે.

નિયમિત પગાર નહીં થતો હોવાથી લોનનું વ્યાજ ચડે છે

તલાટીઓએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, તાલુકા વિકાસ અધિકારી અમારો પગાર નિયમિત થવા દેતા નથી. જેને કારણે અમારા લોનના હપ્તા અનિયમિત થાય છે અને તેને કારણે વ્યાજ તેમજ દંડ ભોગવવો પડે છે.   

ચૂંટાયેલા સભ્યો પણ નારાજ છે,તાત્કાલિક બદલી કરો

તલાટી મંડળ ના પ્રમુખ તેમજ અન્ય આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારીને કહ્યું છે કે, કોરોના ના સમય દરમિયાન અમે શ્રેષ્ઠ કામગીરી કરી હતી જેથી વાઘોડિયા ને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પણ મળ્યો હતો. નવા ટીડીઓ કાજલબેન ના સમયમાં પણ ઈ શ્રમ કાર્ડની શ્રેષ્ઠ કામગીરી કરી છે. તેઓ પંચાયતોમાં આવી અપમાનિત કરે છે અને દફતર ઉઠાવી જાય છે. તેઓની સામે ચૂંટાયેલા સભ્યોએ પણ નારાજગી વ્યક્ત કરી રજૂઆત કરી છે. જેથી તેઓની તાત્કાલિક બદલી થવી જોઈએ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!