Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અરવલ્લીના પાંચ વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન ન ફરતા પરિવારજનો ચિંતિત

On: March 2, 2022 12:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 1

રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુધ્ધના છઠ્ઠા
દિવસે સ્થિતિ વિસ્ફોટક બની છે. રશિયાની સેનાએ યુક્રેનના કેટલાય શહેરોમાં કબ્જો
મેળવ્યો છે
, અને પ્રતિબંધિત હથિયારોનો ઉપયોગ આ યુધ્ધમાં થઈ રહયો હોવાના
અહેવાલ વચ્ચે અરવલ્લી જિલ્લાનો એકપણ છાત્ર ઘરે નહી પહોંચતા પરિવારજનોમાં ચિંતા
છવાઈ છે. અને પોતાનો લાડકો જલદી પરત ફરે અને સરકાર આ કામગીરી ઝડપી બનાવે તેવી માંગ
પણ પ્રસરી રહી છે.

અરવલ્લી જિલ્લાના પાંચ છાત્રો તબીબી શિક્ષણના અભ્યાસક્રમ
માટે યુક્રેન ગયેલા છે
,રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ
યુધ્ધને લઈ આ છાત્રોની સ્થિતિને લઈ પરિવારજનો અને તંત્રમાં પણ ચિંતા પ્રસરી હતી.
જોકે હાલ જિલ્લાના દહેગામડાના દિનેશભાઈ પટેલનો પુત્ર કુલદીપ યેનકેન પ્રકારે
યુક્રેન બોર્ડર પાસ કરી છેક રોમાનીયા એરપોર્ટ નજીક પહોંચ્યો છે
,અને તેની સાથેના સહઅધ્યાયીઓ અને અન્ય નાગરિકોને એરપોર્ટ નજીકના એક
ટેન્ટમાં રાખવામાં આવ્યા છે.હવે રોમાનીયા એમ્બેસી ભારત સરકારનો સંપર્ક કરી આ
છાત્રોના પાસપોર્ટ ઉપર સહિ સીક્કા કર્યા બાદ વિમાન માર્ગે એક બે દિવસમાં ભારત
રવાના કરશે એમ કુલદીપે રોમાનીયા ખાતેના શેલ્ટર હાઉસમાંથી જણાવ્યું હતું.

મોડાસાના ઝુલ્ફીકારહુસેન દાદુનો પુત્ર લુકમાન હાલ પોલેન્ડ
બોર્ડર પાસ કરી રહયો છે તેમ જણાવ્યું હતું. અને હાલ ખાર્કીય થી પોલેન્ડ બોર્ડરે
પહોંચવા ટ્રેન ચાલુ હોઈ જે કોઈ ફસાયા છે તેના પરિવારજનોએ તેમના છાત્રોને આ ટ્રેનનો
ઉપયોગ કરે તેમ જણાવવા લુકમાને અપીલ કરી હતી. યુધ્ધના ૬ દિવસમાં ૭ ફલાઈટમાં કેટલાય
છાત્રો  વતન પરત ફર્યા છે
,પરંતુ
અરવલ્લીનો એકપણ છાત્ર હજુ ઘરે કે દેશમાં આવ્યો નથી અને તેમના લોકેશન અંગે તંત્રને
જાણ નથી. અરવલ્લી જિલ્લા કલેકટર ર્ડા.નરેન્દ્રકુમાર મીના ના જણાવ્યા મુજબ હજુ
જિલ્લાનો કોઈ છાત્ર પરત આવ્યો નથી
,

પરંતુ તંત્ર દ્વારા આ છાત્રોના પરિવારજનો ઓપરેશન ગંગા અંગે
માહિતગાર કરી જરૃરી માર્ગદર્શન અપાઈ રહયું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!