Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દરિયા ગણેશ મંદિર પાસે મળેલ શિવલિંગ અને નંદીદેવની શિવભક્તે પોતાના ઘરે સ્થાપના કરી

On: March 1, 2022 10:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– નંદીદેવનું વજન અંદાજે 150 કિ.ગ્રા. અને શિવલિંગનું વજન 15 કિ.ગ્રા : દરરોજ સવાર-સાંજ તેમને પૂજાય છે

સુરત, તા. 01 માર્ચ  

આજે મહાશિવરાત્રી છે અને શિવભક્તો રુદ્રાક્ષના શિવલિંગની સ્થાપના કરતા હોય છે. જોકે, આ વચ્ચે ડુમ્મસ દરિયા ગણેશના મંદિરની પાછળ શિલાઓ વચ્ચે મળી આવેલ શિવલિંગ અને નંદીને સહેલાણી તરીકે આવેલ એક શિવભક્તે આજુબાજુના વિસ્તારોમાં ગંદકી હોવાને કારણે ઘરે લઈ જઈને તેની સ્થાપના કરી તેમનું જતન કર્યું છે.

થોડા દિવસ અગાઉ ડુમસ દરિયા કિનારે આવેલો ગણેશ મંદિરની પાછળ પથ્થરની શિલા વચ્ચે એક શિવલિંગ તથા પોથીયાદેવ(નંદી) મળ્યા હતા. ભરતીને કારણે ત્યાં કીચડ હોવાથી શરૂઆતમાં તેમના ઉપરી ભાગ જ જોવા મળ્યો હતો. જોકે બાદમાં તે શિવલિંગ અને નંદી હોવાની જાણ થઇ હતી. પ્રાથમિક દૃષ્ટિએ તેની બનાવટ પૌરાણિક હોવાનું દેખાય છે. જોકે તે માનવ સર્જિત છે તે સ્વયંભૂ છે તે અંગે જાણી શકાયું નથી. જો કે મહત્વની વાત એ છે કે મહાશિવરાત્રી પહેલા જ શિવલિંગ અને નંદીદેવની કતારગામના એક શિવભક્ત અંકિત ગોસ્વામીએ પોતાના ઘરે સ્થાપના કરી છે. ઉલ્લેખનીય છે કે જે સ્થળે થી તે મળી આવ્યા હતા તે સૂર્યની આજુબાજુ ગંદકી જોવા મળી હતી જેને લઇને અંકિતભાઈને દુઃખ થયું હતું અને તેમને પોતાના ઘરે કતારગામમાં લઈ જઈ સ્થાપના કરવાનો નિર્ણય કર્યો હતો. ઘરે આવ્યા બાદ તેમની દિવસમાં વિધિ-વિધાન થી બે વખત પૂજા-અર્ચના તેઓ કરે છે. જોકે અન્ય એક બાબત એ પણ છે કે ત્યાં રવિવાર હોવાથી અનેક સહેલાણીઓ મોજૂદ હતા અને ખાસ કરીને દરિયા ગણેશ પાસે 100થી વધુ વ્યક્તિઓ હોવા છતાં પણ કોઈએ તેમને સ્વચ્છ સ્થળે ઉંચકીને મુકવાની તસ્દી લીધી ન હતી. બાદમાં અંકિતભાઈ અને ચિરાગભાઈએ હાથ લંબાવ્યો હતો.

આ અંગે અંકિત ગોસ્વામીએ કહ્યું કે, સોશિયલ મીડિયા મારફતે મારા મિત્રને શિવલિંગ અને નંદી તેઓ અહીં હોવાની જાણ થઇ હતી. જેથી અમે ત્યાં ગયા હતા. જોકે ત્યાં આજુબાજુ ચોકલેટ અને વેફરના પેપરની ગંદકી જોતા મને દુઃખ થયું હતું. તેમનું આવી પરિસ્થિતિમાં ત્યાં જ રહેવું તેમની અવમાન અને અપમાન સમાન ગણાય. હું તે ઈચ્છતો ન હતો તેથી મેં તેમને મારા ઘરે સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!