Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મહાશિવરાત્રીના પર્વ ને લઈને જામનગરના સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિરને ઝળહળતી રોશનીથી શણગારાયું

On: February 28, 2022 6:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 28

‘છોટી કાશી’ નામથી પ્રચલિત એવા નવાનગર- જામનગર શહેરમાં રાજાશાહીના વખતથી સ્થાપિત એવા ભીડભંજન મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, અને સમગ્ર મંદિર પરિસરને ધજા-પતાકાથી શણગારાયા ઉપરાંત મંદિરના શિખર અને ગર્ભગૃહ સ્તંભ સહિતના ભાગને ઝળહળતી રોશની થી સજ્જ બનાવી દેવાયું છે.

જામનગરની મધ્યમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પર્વને લઇને દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે, અને શિવભક્તો વહેલી સવારે 4:30 વાગ્યાથી દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે મંદિરનું સંચાલન સંભાળતા જામ ધર્માદા ટ્રસ્ટ દ્વારા ભીડભંજન મહાદેવ મંદિરના સમગ્ર પરિસરને ધજા પતાકા અને રોશનીથી શણગારી દેવાયું છે, ઉપરાંત મંદિરના ગર્ભગૃહ- શિખર- સ્તંભ તેમજ સમગ્ર મંદિર પરિસર સહિતના વિસ્તારને રંગબેરંગી રોશનીથી ઝળહળીત કરી દેવાયું છે.

મહાશિવરાત્રિના પર્વને લઇને જુદી-જુદી પૂજા તેમજ ચારે પ્રહરની આરતી સહિતની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આજે શિવરાત્રીના તહેવાર પહેલાં શિવજીના પ્રિય એવા સોમવારના વહેલી સવારથી જ ઝળહળતી રોશની સાથે ભીડભંજન મહાદેવનો ભવ્ય નજારો નિહાળીને શિવ ભક્તો ભાવવિભોર થયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!