Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ભાજપે નાના વેપારધંધાઓ ભાંગી નાંખીને ગુજરાતની તાકાત તોડી નાંખી-રાહુલ ગાંધી

On: February 26, 2022 11:49 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


દ્વારકાધીશને દર્શન કરી ગુજરાત કોંગ્રેસનો જુસ્સો વધારતા રાહુલ  

જમીન પર રહી સત્ય માટે લડનારા કોંગ્રેસનું નેતૃત્વ કરશે, એ.સી. ઓફિસમાં બેઠા રહેલાને અમે જ પેકેજ કરી ભાજપમાં ધકેલી દેશું 

રાજકોટ : ગુજરાત ધારાસભા-2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે  ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દ્વારકામાં યોજાયેલી કોંગ્રેસની ત્રિદિવસીય શિબિરમાં આવ્યા હતા અને કોંગ્રેસ ક્યા માર્ગે આગળ વધવ માંગે છે તે સ્પષ્ટ કરીને લાગલગાટ મળતી હારથી નિરાશ નહીં થવા કોંગ્રેસના પ્રદેશ નેતાઓને હાકલ કરી હતી.

જી.એસ.ટી., નોટબંધી, કોરોનામાં બેદરકારીથી ભાજપે ગુજરાતની કરોડરજ્જુ તોડી નાંખી છે, વિશ્વભરમાં ગુજરાતીઓ ફેલાયેલા છે, તેમની તાકાત નાના-મધ્યમ વેપાર ધંધ,ઈનોવેશનને  ભાંગી નાંખી ભાજપે ગુજરાતીઓની તાકાતને તોડી નાંખી છે. ગુજરાતમાં ઓક્સીજન અને સારવારના અભાવે 3 લાખ લોકો કોરોનામાં મોતને ભેટયા. 

તેમણે કહ્યું કોંગ્રેસમાં નહેરૂ,સરદાર,બોઝ ઘણા છે પણ વ્યુહાત્મક દિશાસૂચન (સ્ટ્રેટેજીક ડાયરેક્શન) આપનાર એક ગુજરાતી,મહાત્મા ગાંધીજી છે. આજે પણ તેઓ કોંગ્રેસના રાજનીતિક ગુરૂ છે. આપણે ગાંધીના માર્ગે જ ચાલવાનુ છે. પચીસ વર્ષ સુધી ભાજપ સામે હું અહીં ગુજરાતમાં હોઉ તો મારા આત્મવિશ્વાસને પણ થોડો ધક્કો પહોંચે પણ આ ચૂંટણી તમે (કોંગ્રેસ) જીતેલા જ છો, બસ આ વાતને સ્વીકારવાની જરૂર છે,

ગત ચૂંટણીમાં જીતની ખૂબ નજીક પહોંચ્યા હતા, વિશ્વાસ વધારો,ચોક્કસ જીતશો જ કહીને તેમણે 1990ના દસકામાં નેલ્સન મંડેલા સાથે તેમની મુલાકાતના કિસ્સાને યાદ કરીને કહ્યું કે મંડેલા 26 વર્ષ જેલમાં રહ્યા ત્યારે આટલો લાંબો સમય કેમ પસાર કર્યો તે પુછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે મારી સાથે મહાત્મા ગાંધીજી હતા, તેમના વિચારો હતા. જો ગાંધીના માર્ગે દક્ષિણ આફ્રિકામાં સરકાર બદલાતી હોય તો ભારતમાં કેમ નહીં?

કોંગ્રેસના પક્ષપલ્ટા અંગે કટાક્ષ કરતા કહ્યું- મને ખબર છે, આપણા કેટલાક નેતાઓ એ.સી.ઓફિસમાં બેઠા રહે છે, તેમને ટૂંક સમયમાં સાઈડલાઈન કરીશું અને પછી આપણે જ તેમને સરસ પેકેજમાં ભાજપમાં  ધકેલી દેશું.

સામે ભલે અક્ષણી સેના હોય આપણે ભગવાન કૃષ્ણની માફક  સત્યની લડાઈ લડવાની છે, સી.બી.આઈ., ઈ.ડી.,મિડીયા,ગુંડાઓ, બધા ભલે એ પક્ષમાં જતા, રોજ નવા કપડાં પહેરે પણ આપણે સત્યની સાદગીપૂર્ણ લડાઈ ચાલુ રાખીશું. 

કોંગ્રેસને જમીનથી જોડાયેલા પચીસ નેતા ભાજપની સત્તા ઉખાડવા સક્ષમ છે, કામ કરનારાને સંગઠન પૂરી તાકાત અને ટેકો આપશે. સત્યની લડાઈ માટે લાઠી કાવાવાળા, જમીનથી જોડાયેલા જ કોંગ્રેસનું નેતૃત્વ કરશે અને ગુજરાતમાં લોકોની લડાઈ લડનારાની પડખે હું જાતે ઉભો રહીશ.

રાહુલ ગાંધીએ દ્વારકાધીશના પરંપરાગત રીતે દર્શન કર્યા હતા અને કોંગ્રેસની ચિંતન શિબિરમાં સંબોધન કર્યું અને કોંગ્રેસના નેતાઓ સાથે બેસીને  ગુજરાતી ભોજન લઈ તેની પ્રશંસા કરી હતી. સાંજે તેઓ જામનગર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!