Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગર જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો: પરંતુ મૃત્યુ દર વધ્યો: છેલ્લા 24 કલાકમાં ત્રણ મૃત્યુ

On: January 25, 2022 9:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમિત થયેલા દર્દી કરતા કોરોના મુક્ત થયેલા દર્દીઓનો આંકડો વધુ

– જામનગર શહેરના 140 કેસ નોંધાયા જ્યારે 209 દર્દી કોરોના મુક્ત થયા: ગ્રામ્ય વિસ્તારના 43 કેસ સામે 55 દર્દી કોરોના મુક્ત થયા

– જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે જામનગરના ૨ અને ધ્રોળના-1 સહિત ત્રણ દર્દીએ દમ તોડયો: અન્ય 61 દર્દીઓ સારવાર હેઠળ: બે ગંભીર

જામનગર, તા. 25

જામનગર શહેર અને જિલ્લાના કોરોના ના કેસ મામલે ધરખમ ઉછાળો નોંધાયા પછી આખરે બે દિવસથી તેમાં રાહત જોવા મળી છે, અને આજે પણ સમગ્ર જિલ્લામાં કોરોના ના પોઝિટિવ કેસ કરતાં કોરોના મુક્ત થનારા દર્દીઓનો આંકડો વધુનો છે. જેથી જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના 140 નવા કેસ સામે આવ્યા છે, જેની સામે 209 દર્દી કોરોના મુક્ત થયા છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારના નવા 43 કેસ નોંધાયા છે, જ્યારે ૫૫ દર્દી કોરોના મુક્ત થયા છે. સરકારી જી.જી.હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં આજે સવારે જામનગર શહેરના બે અને ધ્રોળના 1 સહિત કુલ 3 દર્દીઓએ જી.જી. હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન દમ તોડયો છે. તેમજ હજુ 61 દર્દીઓ કોરોના ની સારવાર હેઠળ છે. જે પૈકી બે દર્દી ની હાલત ગંભીર છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યા પછી આજે સતત બીજા દિવસે પણ તેમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, અને જામનગર શહેરના છેલ્લા ૨૪ કલાક દરમિયાન 140 કેસ નોંધાયા છે. જ્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન 209 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. તે જ રીતે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ કોરોના ના કેસ મામલે ઘણી રાહત જોવા મળી છે, અને માત્ર 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે 55 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે.

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોળ માં -2, જોડિયામાં-7, જામનગર તાલુકામાં-8, જામજોધપુરમાં -5, કાલાવડમાં -13, અને લાલપુરમાં 8, સહિત 43 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રવિવારના દિવસે પણ કોરોના પરીક્ષણની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, અને છેલ્લા 24 કલાક દરમિયાન 2,634 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ રીતે જામનગર ગ્રામ્યના 1,310 સહિત સમગ્ર જિલ્લામાં 3,944 પરીક્ષણ કરી લેવામાં આવ્યા છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં આજની તારીખે કૂલ 61 દર્દીઓ કોરોના ની સારવાર મેળવી રહ્યા છે, જયારે 3 દર્દીઓએ દમ તોડી દીધો છે. જામનગરના પટેલ કોલોની નજીક આનંદ કોલોની વિસ્તારમાં રહેતા અરુણાબેન દિલીપભાઈ ત્રિવેદી નામના 70 વર્ષીય વૃદ્ધાએ કોવિડ હોસ્પિટલમાં દમ તોડયો છે, જ્યારે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા હીરુબેન ચોવટીયા નામના 73 વર્ષીય વૃદ્ધ મહિલાએ પણ દમ તોડી દીધો છે. સાથોસાથ ધ્રોળ પંથકના એક કોરોનાગ્રસ્ત દર્દી નું સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ દર્દીના મૃત્યુને લઈને કોરોનાના મામલે શહેર જિલ્લામાં ભયનો માહોલ ફેલાયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!