Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં ટોયઝ એન્ડ ગિફ્ટ એસોસિએશન દ્વારા બી.આઈ.એસ. સીઝર એકટ-2020ના મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

On: January 24, 2022 7:57 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા. 24

જામનગર ટોયઝ એન્ડ ગિફ્ટ એસોસિએશન દ્વારા આજે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જઈ બીઆઈએસ સીઝર અને ટોયઝ ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર-2020નો કાયદો મોકૂફ રાખવા અંગે રજૂઆત કરી છે. આ નવા કાયદાની વેપારીઓને હજુ પૂરતી જાણ કે માહિતી નથી, તે પહેલા બીઆઈએસ સર્ટિફિકેટ વાળા રમકડા જ માત્ર વેચવા અને બાકીના રમકડા સિઝ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, જે કાયદો હાલ પૂરતો મોકૂફ રાખવા માગણી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ફરજિયાત પણે બીઆઈએસ સર્ટિફિકેટ વાળા રમકડાંના વેચાણ માટે ટોયઝ ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર લાગુ કયો છે. જે કાયદો 2020માં લાવવામાં આવ્યો હતો, પરંતુ તેની અચાનક તાજેતરમાં અમલવારી શરૂ કરી દેવામાં આવી છે, અને ગુજરાતના કેટલાક સ્થળો પર બીઆઈએસ સર્ટિફિકેટના મામલે દરોડા પાડવામાં આવ્યા છે, અને આઈએસઆઈ માર્ક વાળાજ રમકડા માત્ર વેચવાનું જણાવી અન્ય રમકડાં જપ્ત કરી લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન આજે જામનગર ટોયઝ એન્ડ ગિફ્ટ એસોસિએશનના 22થી વધુ હોદ્દેદારોએ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી રજૂઆત કરી છે, અને નવા બીઆઈએસ ટોયઝ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 2020ના કાયદાને કોરોના કાળ દરમ્યાન મોકૂફ રાખવા રજૂઆત કરી છે.

છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં શ્રાવણી મેળા યોજાયા નથી, જેથી બે વર્ષ દરમિયાન રમકડાંઓનો મોટો સ્ટોક વેપારીઓ પાસે પડયો રહ્યો છે, ત્યારે આવી કોરોનાની મહામારીના સમયગાળા દરમિયાન હાલ પૂરતો નવો કાયદો મોકૂફ રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!