Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વેપારીઓએ કાપડ માર્કેટની લાઇટો બંધ કરી 12 ટકા જીએસટીનો વિરોધ કર્યો

On: December 30, 2021 4:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.29 ડિસેમ્બર 2021,બુધવાર

અમદાવાદમાં બુધવારે મોડી સાંજે ગારમેન્ટ અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ-કારીગરોએ માર્કેટની બહાર વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને ૧૨ ટકા જીએસટીનો વિરોધ કર્યો હતો. માર્કેટ-દુકાનની લાઇટો બંધ કરીને મીણબત્તી, મોબાઇલની ટોર્ચ કરીને બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે તા.૩૦ ડિસેમ્બરના રોજ બંધનું એલાના આપ્યું હતું. જેમાં અમદાવાદમાં તમામ કાપડ માર્કેટ તેનું સમર્થન કરીને દુકાનો માર્કેટ બંધ રાખશે.

આગામ ી તા.૧ જાન્યુઆરીથી ગારમેર્ટ તથા કાપડ ઉદ્યોગ પર જીએસટી પાંચ ટકાથી વધારીને સીધો ૧૨ ટકા કરી દેવાના સરકારના નિર્ણય સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જે અંગે નારાજગી દર્શાવવા, વિરોધ વ્યક્ત કરવા માટે તા.૩૦ ડિસેમ્બરે એક દિવસ માટે બંધનું ેએલાન અપાયું છે. એકમત અને એકતા દર્શાવવા માટે બંધના આગલા દિવસે બુધવારે સાંજે વેપારીઓએ બ્લેક આઉટ કરીને પોતાની માર્કેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ અંગે કાપડના વેપારી અને અગ્રણી ભાનુભાઇ હરવાણીના જણાવ્યા મુજબ સરકારે જીએસટી દરમાં એકસામટો ૭ ટકાનો વધારો કરીને નાના વેપારીઓની કમર તોડી નાંખી છે. કાપડ માર્કેટના હોલસેલ, સેમી હોલસેલ, ગારમેન્ટ અને રિટેલર તમામ પર આર્થિક ભારણ વધશે. જેના કારણે માલ મોંઘો થશે. વેપારીઓના ધંધા ઠપ થશે, ગ્રાહકોને પણ આર્થિક નુકશાની વેઠવી પડશે. કોરોના કાળમાં મંદી ચાલી જેના કારણે પહેલાથી જ આ ધંધો નુકશાની વેઠી પરહ્યો છે. હવે જીએસટીના કારણે ધંધાને અસર થશે.

સરકારના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા માટે આજે તા.૩૦ ડિસેમ્બરને ગુરૂવારના રોજ તમામ કાપડ માર્કેટ બંધ રખાશે. તમામ વેપારીઓ વિરોધ બેનરો સાથે માર્કેટની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

નોંધપાત્ર છેકે અમદાવાદના લગભગ કાપડ ઉદ્યોગના તમામ માર્કેટ પૂર્વ અમદાવાદમાં આવેલા છે. પૂર્વ અમદાવાદમાં રહેતા લાખો લોકોને આ ઉદ્યોગ રોજીરોટી પુરી પાડે છે. પૂર્વમાં મોટા માર્કેટમાં રોજની લાખોની ખરીદી થતી હોય છે. હોલસેલ, રિટેલ દુકાનો પણ બંધ રહેનાર હોવાથી ખરીદી માટે આવનારા ગ્રાહકોને એક દિવસ માટે હાલાકી ભોગવવી પડશે. 

અમદાવાદમાં કયા માર્કેટ બંધ રહેશે ?

-મસ્તકી કાપડ માર્કેટ મહાજન

– ન્યુ ક્લોથ માર્કેટ

– પાંચકુવા કાપડ મહાજન

– સિંધી માર્કેટ-કાપડ મહાજન

– પાંચકુવા સિંધી માર્કેટ

– ઘંટાકર્ણ માર્કેટ

– નૂતન ક્લોથ માર્કેટ

– વીઆઇપી માર્કેટ

– કર્ણાવતી માર્કેટ ૧-૨-૩

– ઢાલગરવાજ માર્કેટ

-સુગનમોલ માર્કેટ

– વૃંદાવન શોપિંગ સેન્ટર

– રતનપોળ કાપડ મહાજન

– સિટી સેન્ટર ૧-૨

– કામધેનું માર્કેટ

– હરીઓમ એસી માર્કેટ ૧-૨

– ડીસી ક્લોથ માર્કેટ

– મહાવીર કાપડ માર્કેટ

– આસ્ટડિયા ન્યુ રંગાટી મહાજન

-મીરધાવાડ

( નોંધઃ આ સિવાયના પણ તમામ માર્કેટ બંધ રહેશે)

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!