Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરતમાં કોરોના ફરી ટોપ ગિયરમાં : સિટીમાં 72, ગ્રામ્યમાં 8 મળી નવા 80 કેસ

On: December 29, 2021 10:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– અઠવામાં 33, રાંદેરમાં 16, કતારગામ ઝોનમાં 12 કેસ

– એક્ટીવ કેસની સંખ્યા સિટીમાં વધીને 239 તે પૈકી 14 હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરત, : સુરત સિટીમાં કોરોના ફરી ટોપ ગિયરમાં આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધતા કેસોમાં આજે સિટીમાં વધુ 72 કેસ નોંધાયા હતા. ગ્રામ્યમાં પણ વધુ 8 કેસ નોંધાતા સુરત શહેર-જીલ્લામાં આજે નવા 80 કેસ નોંધાયા છે. સુરત સિટીમાં સૌથી વધુ 33 કેસ અઠવા ઝોનમાં નોંધાયા છે.

આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત એપ્રિલ-મે માસમાં કોરોનાના ભયાનક સ્વરૂપ બાદ તે ધીમેધીમે કાબુમાં આવ્યો હતો. પરંતુ વિવિધ સરકારી કાર્યક્રમો તેમજ ખાનગી કાર્યક્રમોમાં કોરાણે મુકાયેલી કોરોનાની ગાઈડલાઇનનું પરિણામ હવે સામે આવી રહ્યું છે અને ફરી કોરોના સુરતમાં ટોપ ગિયરમાં આવી ગયો છે. સુરતમાં બુધવારે અઠવા ઝોનમાં નવા 33 કેસ, રાંદેર ઝોનમાં કોરોનાના નવા 16 કેસ, કતારગામ ઝોનમાં નવા 12 કેસ, વરાછા એ ઝોનમાં 5 કેસ, સેન્ટ્રલ-વરાછા બી-લીંબાયત દરેક ઝોનમાં નવા 2 કેસ સાથે કુલ 72 કેસ નવા નોંધાયા હતા. એકલા સિટીમાં જ નહીં આજે ગ્રામ્યમાં પણ નવા 8 કેસ નોંધાયા હતા. તે પૈકી ઓલપાડ-કામરેજ દરેકમાં 2 કેસ અને ચોર્યાસી-પલસાણા-બારડોલી-મહુવા દરેકમાં 1 કેસ નોંધાયા હતા.

સુરતમાં વધતા કેસોની સાથે એક્ટીવ કેસની સંખ્યા પણ વધીને 239 થઈ છે. તે પૈકી 14 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધી સિટીમાં કુલ કેસ 1,12,211 થયા છે. જેમાં 1630 વ્યક્તિ મોતને ભેટ્યા છે. જયારે ગ્રામ્યમાં કુલ 32,249 કેસ પૈકી કુલ 488 ના મોત થયા છે. સિટી અને ગ્રામ્યમાં કુલ 1,44,460 કેસ છે.જેમાં કુલ મૃત્યુઆંક 2118 છે. સિટીમાં 10 સાથે 1,10,342 અને ગ્રામ્યમાં 2 સાથે 31,740 મળીને કુલ 1,42,082 દર્દીઓ સાજા થયા છે.

સિટીલાઈટના સૂર્યા એન્ક્લેવમાં એક જ ઘરના પાંચ સભ્યો, વેડરોડ જીવનદીપ સોસા.માં એક જ ઘરના ચાર સભ્યો સંક્રમિત

આજ રોજ પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 5 વ્યક્તિઓ અઠવા ઝોનના સીટીલાઇટ વિસ્તારના સુર્યા એન્કલેવના એક જ ઘરના છે. જયારે 4 વ્યક્તિઓ કતારગામ ઝોનના વેડ રોડની જીવનદીપ સોસાયટીના એક જ ઘરના છે. 3 વ્યક્તિઓ રાંદેર ઝોનના આનંદમહેલ રોડ વિસ્તારના પાર્થ બંગ્લોઝના એક જ ઘરના છે. ઉપરાંત, વધુ 11 વિદ્યાર્થીઓ અનુક્રમે હાઇ હિલ્સ, ડીપીએસ, એલ પી સવાણી વેસુ, જી ડી ગોઇન્કા, ફાઉન્ટેન હેડ, સ્વામી નારાયણ એકેડમી, વલ્લભ આશ્રમ શાળાઓમા નોંધાયા છે. આજના કેસોમાં પોઝીટીવ પૈકી 3 દર્દી સિંગાપુર, મેક્સિકો, બેલજીયમના પ્રવાસેથી પરત ફર્યા તે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!