Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

રૂા.100 કરોડના અનાજ કૌભાંડ પર ભાજપ સરકારે ઠંડુ પાણી રેડી દીધું

On: November 18, 2021 9:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


કાળાબજારિયા-અનાજ માફિયા પર સરકાર મહેરબાન

62 હજાર નકલી યુઝર આઇડીનો ઉપયોગ કરી ગરીબોનું કરોડોનું અનાજ ચાઉઁ કરાયું છતાં તપાસનું ફિંડલુ વાળી દેવાયું

અમદાવાદ : નકલી યુઝર આઇડીનો ઉપયોગ કરી કરોડો  રૂપિયાનું ઘઉઁ, ચોખા સહિત અનાજ ચાંઉ કરનારાં કાળાબજારિયા ,સંગ્રહખોરો અને અનાજમાફિયાઓ પર ભાજપ સરકારના ચાર હાથ હોય તેવુ પ્રસૃથાપિત થઇ રહ્યુ છે કેમકે, કોરોનાકાળ દરમિયાન રૂા.100 કરોડનું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાડ આચરાયુ છતાંય આ મામલે ભાજપ સરકાર મૌન છે. કોંગ્રેસે આ મુદદે તટસૃથ તપાસ કરી ગરીબોના કોળિયાનુ અનાજ છિવની લેનારાં દોષિતો સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.         

એક બાજુ, કેન્દ્ર સરકારે કોરોનાકાળમાં ગરીબોને મફત અનાજ વિતરણ કર્યુ તે અંગે ભાજપ વાહ વાહી લૂંટી રહી છે. બીજી તરફ હજારો ફેક આઇડીનો ઉપયોગ કરી અંદાજે રૂા.100 કરોડનું અનાજ બારોબાર સગેવગે કરી અનાજ કૌભાંડ આચરાયુ હતું.સરકારે આ મામલે તપાસનો દેખાડો કર્યો પણ આજદીન સુધી કોઇ તથ્યો બહાર આવ્યા નથી. 

કોંગ્રેસનો ગંભીર આરોપ છેકે, ખુદ વાજબી ભાવની દુકાનના સંચાલકો સાથે મેળાપિપણુ રચી આખુય કૌભાંડ આચરવામાં આવ્યુ હતું.  નકલી યુઝર આઇડીનો ઉપયોગ કરી કાળાબજારિયાઓ બારાબોર ગરીબોનું અનાજ સગેવગે કરતાં હતાં. સુરત ઉપરાંત સાંબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં સરકારના આર્શિવાદથી અનાજ કૌભાંડ ચાલી રહ્યુ હતું.

નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ હેઠળ અપાતું અનાજ રેશનકાર્ડ ધારકો લેવા જતા ન હતાં તે અનાજ કાળાબજારિયા, સંગ્રહખોરો બારોબાર વેચી મારતાં હતાં. આ આખાય કૌભાંડની ક્રાઇમ બ્રાન્ચને તપાસ પણ સોંપવામાં આવી હતી પણ આ તપાસનું આખરે ફિંડલુ વાળી દેવાયુ છે. કોગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ માંગ કરી છેકે, ગરીબોનું અનાજ બારોબાર વેચી દેનારાં કાળાબજારિયાઓ સામે કડક પગલાં ભરવા જોઇએ. સરકાર આ અનાજ કૌેભાડ માંમલે કેમ મૌન ધારણ કરીને બેઠી છે તે શંકાને પ્રેરે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!