Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ફાયર તંત્ર વીજતંત્ર અને ૧૦૮ની ટીમ સ્ટેન્ડબાય માં રખાઇ]

On: November 4, 2021 10:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ફાયર બ્રિગેડની 7 ટિમોના 45 જવાનો આગ અકસ્માતની ઘટના નિવારવા માટે સતત ખડે પગે રહેશે

– PGVCLના 288 કર્મચારી જ્યારે 108ના 90 જવાનોની આઠ ટીમ પણ સ્ટેન્ડબાય રહેશે

જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર

જામનગર શહેરમાં દિવાળીના પર્વને અનુલક્ષીને આગ અકસ્માત ની ઘટનાને નિવારવા માટે ઉપરાંત વીજ વિક્ષેપની ખામીને પહોંચી વળવા તેમજ વાહન અકસ્માત સહિતની ઘટનાઓ સમયે 108ની સેવા સહિતના તંત્રને સ્ટેન્ડબાય રાખવાના ભાગરૂપે પી.જી.વી.સી.એલ.ના 288 કર્મચારી ફાયર બ્રિગેડની 7 ટુકડીના 45 જવાનો અને 108ની જુદી-જુદી આઠ ટીમોના 90 જવાનો દિવાળીના તહેવારો દરમિયાન સ્ટેન્ડબાય માં રહેશે.

 જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે આતશબાજી દરમિયાન તણખો પડવાના કારણે કોઈપણ પ્રકારની આગજનીની ઘટના બને તો તેને પહોંચી વળવા ના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવી છે, અને જામનગર શહેરના જુદા જુદા ૭ વિસ્તારોમાં ફાયર ફાઇટરો ને સ્ટેનબાય માં મુકી દેવાયા છે. જે તમામ સ્થળો પર કુલ ૪૫ જેટલા જવાનોની નિમણૂક કરી દઇ તમામ કર્મચારીઓને રાઉન્ડ-ધક્લોક ફરજ પર મૂકી દેવાયા છે.

 જામનગરના લાલબંગલા સ્થિત મેઇન ફાયર સ્ટેશન, ઉપરાંત જનતા સોસાયટી ફાયર સ્ટેશન, બેડી ફાયર સ્ટેશન ઉપરાંત ડીકેવી સર્કલ, દરબારગઢ સર્કલ, ખંભાળિયા ગેઇટ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ફાયર ફાઈટર સાથે ના જવાનોની ટીમ ને તૈનાત કરી દેવામાં આવી છે.

 વીજતંત્ર દ્વારા પણ દિવાળીના તહેવારો દરમિયાન રોશનીના ઝગમગાટ વચ્ચે વીજ વિક્ષેપ સર્જાય નહીં તેના ભાગરૂપે વિજ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટર પેઢીના સ્ટાફ વગેરે સહિત ૨૮૮ કર્મચારીઓને સ્ટેન્ડબાય માં મુકી દેવામાં આવ્યા છે. અને રજાના દિવસો દરમિયાન પણ તમામ કર્મચારીઓ ફરજ બજાવશે.

 સાથોસાથ શહેર અને આસપાસના વિસ્તારમાં કોઇ પણ અકસ્માતની ઘટના બને જેમાં ૧૦૮ની ટીમ ની જરૂરિયાત ઊભી થાય, તો તેને પહોંચી વળવા માટે લોકોને સમયસર સારવાર મળી રહે તેના ભાગરૂપે ૧૦૮ની આઠ ટીમો ૯૦ જવાનોની સાથે સ્ટેન્ડબાયમાં ફરજ પર રહેશે. સમગ્ર દિવાળી અને બેસતા વર્ષ ના તહેવારો દરમિયાન વહીવટીતંત્ર એલર્ટ બનેલું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!