Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દિવાળીના તહેવારો ટાણે ઉમરાળા શહેરમાં વીજળીના ધાંધિયા વધ્યા

On: October 29, 2021 3:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ઉમરાળા, તા.૨૮

વીજળી પુરવઠાના ધાંધિયા એ આમ તો ઉમરાળા માટે નવા નથી, પરંતુ હાલ દિવાળીના સપરમા તહેવારો આવી રહ્યા છે ત્યારે પણ વીજધાંધિયામાં અભૂતપૂર્વ વધારો થયો છે. રતનપરના નવનિર્મિત સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયાને ૨૭ મહિનાઓ બાદ પણ હજુ સુધી પરિસ્થિતિ સુધરી નથી. દિવાળીના તહેવારો ટાણે જ વીજધાંધીયા અનહદ વધી જતા લોકોમાં આક્રોશ વ્યાપેલ છે.

ઉમરાળા તાલુકા મથક અને આસપાસના ગામડાંઓની વીજ પુરવઠાની પરિસ્થિતિ સુધારવાના હેતુથી ૨૦૧૯માં ઉમરાળા-ચોગઠ રોડ પર રતનપુર ૬૬ કે.વી.ઈલેક્ટ્રીક સબસ્ટેશનનું લખલૂટ ખર્ચે જેટકોએ નિર્માણ કર્યુ હતુ.૧૫૩ લાખ વીજરેખાના નિર્માણ માટેની જોગવાઈ સહિત આ સબસ્ટેશનના નિર્માણ પાછળ કુલ રૃા. ૬૦૩ લાખ ખર્ચ બતાવ્યા હતા. આ નવનિમત સબસ્ટેશનનું જુલાઈ ૨૦૧૯માં વાજતેગાજતે લોકાર્પણ કર્યાના ૨૭ મહિના પછી પણ તાલુકા મથક ઉમરાળામાં વીજપુરવઠાની પરિસ્થિતિ સુધરી નથી. તાલુકા મથક સહિત જે ગામોના વીજળી પુરવઠાના ધાંધિયા નિવારવા માટે નવા ૬૬ કે.વી.પાછળ લાખો રૃપિયાનો ધુમાડો કરાયો તે ગામોની પરિસ્થિતિ હજુ  પણ જયાના ત્યાં જેવી રહ્યાની ફરિયાદો ચાલુ રહી છે. વિદ્યૃત બોર્ડના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ૨૦૧૯માં નિમત નવું ૬૬ કે. વી. સબસ્ટેશ હજુ બરાબર કામ કરતું નથી. આથી તાલુકા મથક ઉમરાળાને પાછું ધોળા ૬૬ કે.વી.નીચે મૂકાયેલ છે અને ધોળા ૬૬ કે.વી.પર ભારણ વધવાથી અવારનવાર ફોલ્ટ સર્જાય છે.  ગુરૃવારે તાલુકા મથકની કચેરીઓ અને બેન્કો શરૃ થવાના સમયથી જ ધોળા ૬૬ કે.વી.ખાતે ફોલ્ટ સર્જાતા અહીં ત્રણ કલાકથી વધુ સમય સુધી વીજળી પુરવઠો બંધ રહેતાં બેન્કો તથા સરકારી કચેરીઓના વ્યવહારો અટકી પડયા હતા. આ અંગે ધોળા સબડિવિઝનના ડે.એન્જિનિયરને ફોન પર પૂછપરછ કરતાં તેમણે ધોળા ૬૬ કે.વી.માં ફોલ્ટ હોવાનું જણાવ્યું હતું, પણ ફોલ્ટ ક્યારે સુધરશે અને વીજ પુરવઠો ક્યારે પુનઃ ચાલુ થશે તેનો જવાબ તેમની પાસે ન હતો…!! આમ,દિવાળીના સપરમા તહેવારોની રજાઓ અગાઉ બેન્કો અને કચેરીઓના કામો નિપટાવી લેવા ઇચ્છતા આ તાલુકાના લોકો માટે તેમજ ખેતીવાડી ક્ષેત્રે મોલાતને પિયત આપવાના ખરા ટાણે જ વીજળીના ધાંધિયા વિલન બની રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!