[ad_1]

વડોદરા, તા. 02
કોરોનાની અસરમાં વેપાર-ધંધાની મંદી તેમજ પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે. બરોડા ડેરી ખાતે બુધવારે મળનારી ભાવ વધારા અંગેની બેઠકમાં નિર્ણય લેવાશે. શહેર યુવા કોંગ્રેસ દ્વારા આજે બરોડા ડેરી ખાતે દેખાવો સૂત્રોચ્ચાર કર્યા હતા અને દૂધનો ભાવ વધારો ન કરવા માટેની માગણી સાથે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન ને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરી હતી.
અમૂલ ડેરીએ ભલે દૂધના ભાવમાં રૂા.2નો વધારો ઝીંકી દીધો છે, પરંતું બરોડા ડેરી દ્વારા હજુ ભાવવધારાનો નિર્ણય કર્યો નથી. બુધવાર બાદ બરોડા ડેરી દૂધના ભાવમાં વધારો કરશે તેવી સંભાવના છે. બીજી તરફ ગુજરાત મિલ્ક ફેડરેશનના સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ. 35થી રૂ. 40નો વધારો કરવામાં આવ્યો છે. જે પાછલા વર્ષ કરતા 5 ટકા વધુ હોવાનું જણાવ્યું છે. આમ જુલાઈ 2021 થી 1 માર્ચ 2022 સુધીમાં અમુલે પ્રતિ લિટરે રૂ. 4નો વધારો કર્યો છે. વડોદરા યુવા કોંગ્રેસ પ્રમુખ કુલદીપ સિંહ વાઘેલા અને મહામંત્રી કરણ બારોટએ જણાવ્યું હતું કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને બે રૂપિયાનો વધારો કર્યો હોવાથી બરોડા ડેરીના સંચાલકોએ દૂધના ભાવમાં વધારો કરવો જોઈએ નહીં. અગાઉ પણ ભાવ વધારો થતાં હાલ ગ્રાહકો પ્રતિ લિટર રૂ 60 ચૂકવી રહ્યા છે. ડેરી સંચાલકો દૂધ ઉત્પાદકોનું હિત જાળવવા અસક્ષમ છે. તેમજ સત્તા પક્ષના ધારાસભ્યો પણ ડેરીના વહીવટ સામે મોરચો માંડી ચૂક્યા છે.અચ્છે દિન ની વાતો કરનાર ભાજપ સરકારમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહિત વિવિધ ચીજવસ્તુઓમાં અવારનવાર થઈ રહેલા ભાવ વધારાના પગલે લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે જેમાં જેવી ચીજ વસ્તુઓમાં પણ સમયાંતરે થઇ રહેલા ભાવવધારાની ના પગલે ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલ બન્યું છે.
[ad_2]
Source link






