Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

શિવરાત્રિને લઇને શિવમંદિરોમાં વિશેષ તૈયારીઓ, મેળા પણ યોજાશે

On: February 27, 2022 10:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.27 ફેબ્રુઆરી 2022, રવિવાર

આવતીકાલે મંગળવારે શિવરાત્રિ નિમિતે પૂર્વ અમદાવાદમાં શોભાયાત્રા , મેળા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. સિંગરવા ગામે શિવરાત્રિનો મેળો યોજાશે. પૂર્વમાં આવેલા વિવિધ શિવમંદિરોમાં અત્યારથી જ શિવરાત્રિને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશેષ પૂજા, હોમ-હવન, ભાંગની પ્રસાદી, જમણવાર, દર્શનની વ્યવસ્થા, શિવમંદીરોમાં રંગરોગાન, શણગાર, સજાવટ સહિતની તૈયારીઓ લગભગ પુરી થઇ જવા પામી છે.

પૂર્વમાં ચકુડિયા મહાદેવ, સરદારનગરમાં રણમુક્તેશ્વર મહાદેવ, ઓઢવમાં પશુપતિનાથ મંદિર, વસ્ત્રાલમાં મેટ્રો બ્રિજના છેડે આવેલા સ્વંયભુ શિવમંદિર, સિંગરવા ગામના જુના શિવમંદિર, સાબરમતી નદીના કિનારે પટમાં આવેલા વિવિધ શિવમંદિરો, હાથીજણ , રામોલ, ઓઢવ સહિતા વિવિધ શિવમંદિરોમાં શિવઆરાધનાની સાથે શિવરાત્રિને લઇને વિવિધ તૈયારીઓ ચાલી રહી છે. 

શિવરાત્રિ નિમિતે પૂર્વ અમદાવાદીઓ આજુબાજુમાં આવેલા શિવમંદિરોમાં જતા હોય છે. ઉંટડિયા મહાદેવ, મહિસાગર નદીના કિનારે આવેલ પ્રાચીન શિવમંદિરમાં જતા હોય છે. અમદાવાદમાંથી મોટેભાગે લોકો ઉજ્જૈન પણ દર્શન કરવા જશે.

શિવમાં વિવેક તથા વૈરાગ્ય બંને સમાયેલું છે. શિવ સર્જક તથા સંહારક છે તેથી શિવજીના નામનું સ્મરણ નિરંતર કરવામાં આવે તો દુર્ગુણોનો નાશ થાય છે અને વિવેક અને સંસ્કાર પ્રાપ્ત થાય છે તેથી જ શિવ એટલે કલ્યાણ તેમનું ધ્યાન-અર્ચન કરવાથી કલ્યાણ થાય છે.

મહાશિવરાત્રિ એ ભગવાન શિવજીની ઉપાસનાનું મહા પર્વ ગણાય છે. રાત્રિના ચાર પહોરમાં જપ અથવા ધ્યાન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે.શિવજીના શિવલિંગ પર દૂધ-પંચામૃત ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે. 

દૂધમાં કાળા તલ નાંખી ચઢાવવાથી તમામ સંકટો દૂર થાય છે.શિવજી મોક્ષદાતા હોવાથી બિલી પત્ર ચઢાવવાથી મોક્ષગતી પ્રાપ્ત થાય છે. શિવરાત્રિના પવિત્ર દિવસે ગાયના ઘી તથા કાળા તલનો હોમ કરવાથી તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. વેદાનો મંત્રો કદાચ બોલી ન શકાય તો પંચાક્ષર મંત્ર ‘ ઓમ નમઃ શિવાય’ આ મંત્ર પણ તેટલું જ ફળ આપે છે.રૂદ્રાભિષેક તથા રૂદ્રાક્ષની માળા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમુદ્ધી પ્રાપ્ત થાય છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!