ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો અંતિમ દિવસ: ઈલેક્શન સ્ટ્રેટેજી, મિશન 2022 રોડમેપ રજૂ કરાશે

On: February 27, 2022 7:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

દ્વારકા, તા. 27 ફેબ્રુઆરી 2022 રવિવાર

ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારકા ડિકલેરેશન જારી કરશે. દ્વારકા ડિકલેરેશન કોંગ્રેસનું 2022 માટે ઘોષણપત્ર હશે. ઇલેક્શન સ્ટ્રેટેજી, મિશન 2022 રોડમેપ પણ રજૂ કરાશે. ત્રણ દિવસ ચર્ચાયેલ મુદ્દાઓ બાદ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરાયું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દ્વારકા ખાતે કોંગ્રેસ દ્વારા ત્રિ-દિવસીય ચિંતન શિબિર યોજવામાં આવી છે. ચિંતન શિબિરમાં પ્રભારી રઘુ શર્માએ સૂચના આપી હતી કે, આગામી માર્ચ મહિનામાં સંઘર્ષના કાર્યક્રમ કરવા. યુથકોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ, સેવાદળ સહિતના સેલ તૈયારી કરે.

તેમણે કહ્યું કે, મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ કાર્યક્રમ આપે. બેરોજગારી મુદ્દે યુથ કોંગ્રેસ કાર્યક્રમ આપે. પેપરલીક કાંડ મુદ્દે NSUI કાર્યક્રમ આપે. કાર્યક્રમ તૈયાર કરો તારીખો પ્રદેશ કોંગ્રેસ આપશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાનારી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે એક વિસ્તૃત રણનીતિ તૈયાર કરવા અંગે ચર્ચા કરવા માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!