Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નામે અધધ ખર્ચ કરાયો, અમદાવાદમાં બી.આર.ટી.એસ.ના ૧૨૩ બસ શેલ્ટર બનાવવા ૭૮ કરોડનો ખર્ચ કરાયો

On: February 27, 2022 1:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,શનિવાર,26
ફેબ્રુ,2022

અમદાવાદ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નામે
બી.આર.ટી.એસ.ના કુલ ૧૪૧ પૈકી ૧૨૩ બસ શેલ્ટર બનાવવા પાછળ ૭૮ કરોડથી પણ વધુની રકમનું
આંધણ કરવામાં આવ્યું છે.કેટલાક વિસ્તારમાં તો એક વખત બસ શેલ્ટર બનાવાયા બાદ ફરી જે
તે બસ શેલ્ટરને તોડીને તેને રીનોવેટ કરવા પાછળ પણ અઢળક ખર્ચ કરવામાં આવ્યો છે.આમ
છતાં હાલમાં પણ બી.આર.ટી.એસ.ની સેવા યથાવત રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને
દર વર્ષે આર્થિક મદદ આપે છે.

વર્ષ-૨૦૦૮-૦૯માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા
તેમના ડ્રીમ પ્રોજેકટ એવી બી.આર.ટી.એસ.નો આરંભ કરાવ્યો હતો.મ્યુનિ.ની બજેટ બેઠક
દરમ્યાન મ્યુનિ.વિપક્ષનેતા નિરવબક્ષીએ માંગેલી માહિતીમાં આ વિગત ખુલવા પામી
હતી.વર્ષ-૨૦૦૮-૦૯માં અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા બી.આર.ટી.એસ.ના પહેલા ફેઝમાં
શહેરના વિવિધ વિસ્તારમાં ૬૧ જેટલા બી.આર.ટી.એસ. બસ માટેના બસ શેલ્ટર બનાવવામાં
આવ્યા હતા.હાલમાં શહેરમાં કુલ ૧૪૧ બસ શેલ્ટર આવેલા છે.આ પૈકી ૧૨૩ બસ શેલ્ટરની
માહિતી આપવામાં આવી હતી.

શહેરમાં ૧૫ બસ શેલ્ટર બનાવવા ૧૩ કરોડ અને ૮૮ લાખથી વધુની
રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો.બાદમાં ૧૦ બસ શેલ્ટર બનાવવા પાછળ ૧૦ કરોડ અને ૫૦
લાખથી વધુની રકમ ખર્ચ કરવામાં આવી હતી.જયારે ૧૫ બસ શેલ્ટર બનાવવા પાછળ ૧૧ કરોડ અને
૯૬ લાખથી વધુનો ખર્ચ તથા છ બસ શેલ્ટર બનાવવા પાછળ ૬ કરોડ અને ૪૬ લાખથી વધુની રકમનો
ખર્ચ કરવામાં આવ્યો હતો.વર્ષ-૨૦૦૮-૦૯માં બી.આર.ટી.એસ. શ
રુ કરવામાં આવ્યા બાદ
શહેરીજનોને એ.એમ.ટી.એસ.ની સાથે બી.આર.ટી.એસ.નો વિકલ્પ મળવાથી શહેરીજનો તેમના વાહનો
મુકી અમદાવાદ મ્યુનિ.ની આ બંને પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ કરતા થશે અને
શહેરમાં નવા વાહનોની સંખ્યા ઘટશે એવો 
ઉદેશ્ય હતો.આમ છતાં શહેરમાં નવા ટુ વ્હીલર અને ફોરવ્હીલરની સંખ્યા સતત વધી
રહી છે.

અમદાવાદ મ્યુનિ.દ્વારા બી.આર.ટી.એસ.ને ૨૨૦ કરોડની સહાય અપાઈ

જનમાર્ગ લિમિટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ એક
સંસ્થા છે.જે હેતુ સાથે ૧૪ વર્ષ અગાઉ બી.આર.ટી.એસ.શરૃ કરવામાં આવી હતી તે સિધ્ધ ના
થતા બી.આર.ટી.એસ.બસ ઓનરોડ દોડી શકે એ માટે અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી
વર્ષ-૨૦૨૧-૨૨માં  ૧૧૦ કરોડની  અને
વર્ષ-૨૦૨૨-૨૩ના વર્ષ માટે ૧૦૦ કરોડની રકમ આર્થિક સહાય પેટે આપવા બજેટમાં જોગવાઈ
કરવામાં આવી છે.

બસ શેલ્ટર પાછળ થયેલ ખર્ચની એક ઝલક

શેલ્ટર          ખર્ચાયેલી
રકમ

કાંકરિયા લેક   ૫૧,૮૬,૧૪૮

રામબાગ       ૩૪,૩૦,૪૯૪

મણિનગર      ૬૯,૩૦,૩૩૬

જવાહર ચોક    ૩૭,૧૩,૦૮૫

સોનીની ચાલ   ૮૮,૩૩,૨૬૨

અખબારનગર  ૪૨,૭૨,૮૧૪

પ્રગતિનગર     ૪૨,૭૦,૬૭૮

શાસ્ત્રીનગર     ૪૨,૮૪,૬૧૮

શિવરંજની      ૪૫,૯૪,૦૪૬

નહેરુનગર      ૪૨,૮૮,૪૭૮

અંજલી         ૪૩,૯૦,૧૧૧

નારોલ         ૪૨,૬૩,૯૦૨           

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!