Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરની જિલ્લા જેલમાંથી ગઈકાલે વધુ ત્રણ મોબાઈલ ફોન મળી આવતાં ભારે ચકચાર

On: February 5, 2022 7:24 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગમાં ફોન મળી આવતાં અજાણ્યા કેદીઓ સામે ગુનો નોંધાયો

– એક સપ્તાહ દરમિયાન 7 મોબાઇલ ફોન મળી આવ્યા: જિલ્લા જેલમાં મોબાઇલ કઈ રીતે પહોંચ્યા તે તપાસનો વિષય

જામનગર તા પ, 

જામનગરની જિલ્લા જેલમાં થી ત્રણ દિવસ પહેલા ચાર મોબાઇલ ફોન મળી આવ્યા ની ફરિયાદ પછી ગઈકાલે સાંજે અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા ચેકિંગ કરતાં વધુ ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હોવાથી ભારે હડકંપ મચી ગયો છે. જે મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો, અને મોબાઇલ ફોનના નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક સપ્તાહમાં સાત જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા હોવાથી જેલની અંદર આટલા મોબાઈલ ઘૂસ્યા કઈ રીતે, તે પણ તપાસનો વિષય બન્યો છે.

અમદાવાદ ની જેલ સુધારક ની કચેરી ની ઝડતી સ્ક્વોર્ડ ના જેલર ડી.આર. કરંગીયા અને તેઓની ટીમ દ્વારા ગઈકાલે જામનગરની જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન જેલમાંથી જુદાજુદા ત્રણ નંગ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જોકે તે મોબાઇલ ફોનમાં સીમ કાર્ડ કાઢી લેવાયા હતા અને આઇ.એમ.આઇ નંબર ને પણ ઘસી કાઢવામાં આવ્યા છે.

જે ત્રણ મોબાઈલ ફોન કબજે કરી લઈ જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ મથકના રજૂ કરવામાં આવ્યા છે, અને જેલની અંદર રહેલા અજાણ્યા કેદીઓ સામે ગુનો નોંધવામાં આવે છે. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ત્રણ દિવસ પહેલાંજ જેલમાંથી 4 નંગ મોબાઇલ ફોન મળી આવ્યા પછી ગઈકાલે વધુ ત્રણ મોબાઇલ ફોન મળી આવતાં આટલા બધા મોબાઈલ ફોન જેલની અંદર કઈ રીતે ઘૂસ્યા, અથવા તો તેમાં કોની સંડોવણી છે, જે બાબતે ઊંડાણ પૂર્વક ની તપાસ કરવી જરૂરી છે.ઉપરાંત જેલની અંદર મોબાઈલ ફોન ઘૂસાડનારને શોધીને તેની સામે પણ પગલાં લેવામાં આવે તે દિશામાં તપાસ થવી જરૂરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!