Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહુવા મા.યાર્ડની ચૂંટણી પૂર્ણ : 37 ઉમેદવારના ભાવી મતપેટીમાં સીલ

On: February 4, 2022 4:57 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– આજે મતગણતરી બાદ પરિણામ

– ખેડૂત વિભાગમાં 88.86 ટકા, વેપારી વિભાગમાં 87.47 ટકા અને ખરીદ વેચાણ વિભાગમાં 100 ટકા મતદાન

ભાવનગર : મહુવા માર્કેટીંગ યાર્ડની વ્યવસ્થાપક કમિટી માટે આજે ખેડૂત, વેપારી અને ખરીદ-વેચાણ વિભાગના કુલ ૩૭ ઉમેદવારો વચ્ચે જામેલા જંગનું મતદાન થવા પામ્યું હતું જેમાં ખેડૂત વિભાગનું ૮૮.૬૮ ટકા, વેપારી વિભાગનું ૮૭.૪૭ ટકા અને ખરીદ વેચાણ વિભાગનું ૧૦૦ ટકા મતદાન થવા પામ્યું હોવાનું જણાયું છે.

આ અંગે મળતી વિગતો મુજબ મહુવા-રાજુલાના કુલ મળી ૧૬૧ જેટલા ગામોના હજારો ખેડૂતોની ઉપજના વેચાણ માટે મહુવા માર્કેટીંગ યાર્ડ મહત્વનું બની રહે છે જેના સંચાલન માટે જિલ્લા સેવા સહકારી મંડળીના જિલ્લા રજીસ્ટાર દ્વારા આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી મતદાન થયું હતું. ખેડૂત વિભાગની ૧૦ સીટ માટે ૨૭ ઉમેદવારો વચ્ચે વેપારી વિભાગની ૪ સીટ માટે ૮ ઉમેદવારો વચ્ચે અને ખરીદ વેચાણ વિભાગની ૧ સીટ માટે બે ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે જેનું આજે મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. આ મતદાનમાં ખેડૂત વિભાગના ૮૪૪ મતદારોમાંથી ૭૫૦ મત પડયા હતાં. એટલે ૮૮.૮૬ ટકા મતદાન નોંધાયું હતું તથા વેપારી વિભાગના કુલ ૬૨૩ મતદારોમાંથી ૫૪૫ મત પડયા હતાં એટલે ૮૭.૪૭ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ખરીદ-વેચાણ વિભાગમાં ૧૪ મતદારોમાંથી ૧૪ મત પડતા ૧૦૦ ટકા મતદાન થવા પામ્યું હતું. આમ કુલ ૧૪૮૧ મતદારોમાંથી ૧૩૦૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતપેટી સીલ કરાઇ હતી. સમગ્ર મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયું હતું. જ્યારે આવતીકાલે તા.૫ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!