Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

રખિયાલમાં ક્રેઇનની અડફેટે મ્યુનિ.સફાઇ કામદારનું મોત

On: February 3, 2022 10:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.03 ફેબ્રુઆરી 2022,ગુરૂવાર

રખિયાલ ગુજરાત બોટલિંગ પાસે આજે સવારે પોણા દશ વાગ્યે એક માર્ગ અકસ્માતમાં મ્યુનિ.સફાઇ કામદારનું મોત નિપજ્યું હતું. ખાનગી ક્રેઇનની નીચે ચગદાઇ જવાથી આ કામદારનું મરણ થયું હોવાનું સફાઇ કામદારોનું કહેવું છે. ઘટનાની જાણ થતા જ સફાઇ કામદારો  મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હોબાળો કર્યો હતો. પોલીસ અને પૂર્વ ઝોનના ડે.મ્યુનિ.કમિશનર પણ દોડી આવ્યા હતા.

અમરાઇવાડી વોર્ડના સફાઇ કામદાર મહેશ હરીભાઇ વાઘેલા કે જેઓ ૩૫ વર્ષના છે અને મ્યુનિ.સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. સફાઇ કામદારોના જણાવ્યા મુજબ તેઓ સવારે પોણા દશ વાગ્યે રખિયાલ ગુજરાત બોટલિંગ પાસેના રોડની સફાઇ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક ક્રેઇન આવી ચઢતા તેઓ અકસ્માતે જ ક્રેઇનની નીચે આવી ગયા હતા. જ્યાં તેઓનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

અકસ્માત સર્જાતા ક્રેઇન ચાલક ક્રેન મુકીને ભાગી ગયો હતો. માર્ગ અકસ્માતમાં ચાલુ ફરજે સફાઇ કામદારનું મોત થયું હોવાની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં મ્યુનિ.સફાઇ કામદારો દોડી આવ્યા હતા.તેઓએ સફાઇ કામદારોની સુરક્ષાના મામલે હાબોળા મચાવ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. અકસ્માતના બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પૂર્વ ઝોનના ડે.મ્યુનિ.કમિશર પણ દોડી આવ્યા હતા. તેઓએ સફાઇ કામદારોને સમજાવ્યા હતા. તેમની સુરક્ષાની ખાત્રી આપી હતી અને મળવાપાત્ર તમામ સરકારી લાભો અપાવવાની ખાત્રી આપી હતી. ત્યાર બાદ મામલો શાંત થયો હતો. 

મ્યુનિ.સફાઇ કામદારનું અકસ્માતમા ંમોત થતા તેના પરિવાર પર મોટી આફત આવી પડી છે. રહેમરાહે તેમના પરિવારના કોઇ સભ્યને નોકરી આપવામાં આવે તેવી પણ માંગણી કરાઇ હતી.

ત્રણ વર્ષમાં અકસ્માતમાં ત્રણ સફાઇ કામદારોનું અકસ્માતમાં મોત

પૂર્વ અમદાવાદમાં છેલ્લા ત્રણેક વર્ષમાં આશરે ત્રણ જેટલા સફાઇ કામદારોનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું સફાઇ કામદારોના આગેવાનોનું કહેવું છે. રાત્રિ સફાઇ દરમિયાન અકસ્માતનું જોખમ વધુ રહે છે. દિવસે ચાલુ રોડની સફાઇ કરાવની થતી હોવાથી પણ અચાનક વાહનની અડફેટે આવી જવાતું હોય છે.

ફરજ દરમિયાન મોતને ભેટનાર મ્યુનિ.સફાઇ કામદારોના પરિવારમાંથી કોઇ એકને સરકારી નોકરી આપવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!