માસ્ક પહેરવા, ભીડથી દુર રહેવા, રસી લેવાની અપીલ કરવા પોલીસ વાનો દોડી

On: January 3, 2022 3:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.02 જાન્યુઆરી 2022,રવિવાર

અમદાવાદમાં કોરોનાના કેસ રોજના ૫૦૦ને પાર પહોંચી ગયા છે. ત્યારે લોકોને જાગૃત કરવા, કોરોનાની રસી લઇ લેવા અને ભીડભાડથી દુર રહેવા માટે અપીલ કરવા માટે શહેર પોલીસ મેદાનમાં ઉતરી છે. ખોખરા, ઓઢવ, રખિયાલ સહિતના વિસ્તારોમાં પોલીસની પેટ્રોલિન વાન દ્વારા લાઉડ સ્પીકરથી જાહેર અપીલ કરાઇ રહી છે. પૂર્વના લગભગ તમામ વિસ્તારોમાં પોલીસે જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. કોરોના અને ઓમિક્રોન બંનેનું સંક્રમણ વધ્યું છે, બીજી તરફ લોકો ગંભીરતા દાખવી રહ્યા નથી. માસ્ક પહેરતા નથી, ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળતા નથી, સેનેટાઇઝરને તો ભૂલી જ ગયા છે. કેટલાક લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે. આ સ્થિતિ કોરોનાને મોકળું મેદાન પુરૂ પાડી રહ્યું છે.

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે બાળકોનું રસીકરણ પણ આરંભી દેવાયું છે. વિવિધ સ્તરે પ્રતિબંધો મુકવા, જાગડતિ ફેલાવવા સહિતની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં હવે શહેર પોલીસ પણ જોડાઇ ગઇ છે.

આ અંગે ખોખરા પોલીસ મથકના પીએસઆઇ આર.એન.ચુડાસમાના જણાવ્યા મુજબ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિસમિતિની બેઠકો યોજાઇ રહી છે. કોરોના સંક્રમણ રોકવા માટેના પ્રયાસો ચાલુ કરી દેવાયા છે. પોલીસના માધ્યમથી પણ લોકોને જાહેર અપીલ કરવામાં આવી રહી છે. પેટ્રોલિંગ વાનના લાઉડસ્પીકર થકી શહેરના બજારોમાં ફરીને લોકોને માસ્ક પહેરાવ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને રસી બાકી હોય તો તાત્કાલિક નજીકના રસીકરણ કેન્દ્રમાંથી રસી લઇ જેવા જણાવવામાં આવી રહ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!