Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

નર્મદાની ભૂગર્ભ પાઈપલાઈન યોજના ખેડૂતો માટે મૃગજળ સમાન

On: January 1, 2022 6:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર તા.31

વાવ અને સુઈગામ તાલુકામાં સિંચાઇ માટે ખેડૂતોને પાણી મળી
રહે તે માટે કરોડો રૃપિયાનાં ખર્ચે ભૂગર્ભ પાઈપલાઇન થકી ખેડૂતોના ખેતરોમાં કુંડીઓ
બનાવવામાં આવી છે.તો વળી રાજ્ય સરકાર દ્વારા ડીઝલથી ચાલતા ફાઈટર પણ આપવામાં આવ્યાં
હતાં. તે કુંડીઓ પરથી આજુબાજુનાં ખેડૂતો પાણી લઈ શકે પરંતુ ભૂગર્ભ પાઈપલાઈનમાં
નર્મદાનું પાણી કેટલીય જગ્યાએ આવતું ન હોવાથી ખેડૂતોને સિંચાઇ માટે પાણીનું બુંદયે
મળતું નથી. એટલુ જ નહીં આ કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા
છે.

બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વાવ,થરાદ અને સુઈગામ
તાલુકામાં નર્મદાની કેનાલો થકી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ખેતરે ખેતરે મળે તે
માટેની મહત્વકાંક્ષી અનેક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે.તો વળી
ખેડૂતોનાં સ્વપ્નો સાકાર કરવા માટે બનાવેલ યોજનાથી હાલમાં તો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો
અને ભ્રષ્ટ અધિકારીઓનાં સપનાઓ સાકાર થઈ રહ્યાં છે. જેમાં વાવ તાલુકાનાં ખેડૂતોને
ખેતરે ખેતરે સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ
દ્વારા વર્ષ ૨૦૧૫માં ભૂગર્ભ પાઈપલાન નાખવામાં આવી હતી.જે કચરો ભરાઈ જવાથી શોભાના
ગાંઠિયા સમાન બની છે.અને કરોડો રૃપિયા પાણીમાં ગયા હોવાનું ખેડૂતોએ જણાવી રહ્યા
છે. તો ખેતરે ખેતરે અલગ અલગ સાઈઝની પાઈપલાઈન અમુક ચોક્કસ અંતરે નાખી ખેતરોમાં
આર.સી.સી.કુંડીઓ બનાવવામાં આવી હતી. જે કેનાલ મારફત સિંચાઈ માટે પાણી ભૂગર્ભ
પાઈપલાઈનમાં નાખવામાં આવે છે
.
ત્યારે હાલમાં તો વાવ પંથકમાં આ યોજના ખેડૂતો માટે મૃગજળ સમાન બની છે.

ઉલ્લેખનીય છે કે સરહદી વાવ પંથકમાં સિંચાઈ માટે ભૂગર્ભ
પાઈપલાઈનો માટે બનાવેલ કુંડીઓ પણ શોભાના ગાંઠિયા સમાન બની છે. અનેક માઈનોર
કેનાલોમાંથી કનેક્શન આપ્યાં છે. તો વળી માઈનોર કેનાલો ભરશિયાળે કોરીધાકોર જોવા મળી
રહી છે.નર્મદાનાં  અધિકારીઓની મહેરબાનીથી
દરેક યોજનાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી
રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!