માતાની અંતિમવિધીમાં વતન ગયેલા રીક્ષા ચાલકના બંધ ઘરમાંથી રૂ. 1.84 લાખની ચોરી

On: December 30, 2021 8:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર

પાંડેસરા બમરોલી સ્થિત ઓમ સાંઇ નગર સોસાયટીમાં રહેતો રીક્ષા ચાલક માતાની અંતિમવિધીમાં વતન યુ.પી જવા નીકળ્યો અને તસ્કરો તેના બંધ ઘરને નિશાન બનાવી રૂ. 1.84 લાખના દાગીના ચોરીને ભાગી ગયા હતા.

પાંડેસરા-બમરોલી રોડ સ્થિત ઓમ સાંઇ નગર પ્લોટ નં. 16 માં રહેતો રીક્ષા ચાલક અરૂણકુમાર કૃષ્ણાનંદ પાંડે (ઉ.વ. 42) ની માતાનું મૃત્યુ થતા ગત 27 નવેમ્બરે પરિવાર સાથે વતન યુ.પી ના જોનપુર જિલ્લાના બોડેપુર ગામ ગયા હતા. દરમિયાનમાં અઠવાડીયા બાદ બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશેલા તસ્કરો રૂમમાંથી બે સુટકેશ લઇ ગયા હતા અને તેમાંથી રૂ. 1.84 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી બેગને રહેણાંક સોસાયટીના ગલીના નાકા પર ફેંકી દીધી હતી. ઘટના અંગે વતનથી પરત આવેલા અરૂણે ગત રાત્રે પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!