Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

હિંમતનગર સહિત સાબરકાંઠામાં વહેલી સવારે પવન સાથે માવઠુ

On: December 2, 2021 2:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 1

રાજયમાં હવામાન વિભાગે બે દિવસ કમૌસમી વરસાદની આગાહી કરી છે
જેને પગલે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિવિધ વિસ્તારોમાં
બુધવારે વહેલી પરોઢે કમૌસમી વરસાદ પડયો હતો. 
રાજયના વિવિધ વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં
આવી હતી. જેની અસર હિંમતનગર શહેર અને જીલ્લા ઉપર વર્તાઈ હોય તે પ્રકારે વાતાવરણમાં
એકાએક પલટો આવ્યો હતો.

હિંમતનગર સહિત સાબરકાંઠા જીલ્લાના શહેરી તેમજ ગ્રામીણ
વિસ્તારોમાં બુધવારે વહેલી પરોઢે પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડતા સમગ્ર પથક
ઠંડુગાર બન્યુ હતુ અને જિલ્લાભરમાં બદલાયેલા હવામાનની અસર વર્તાઈ હતી. તેમજ કમૌસમી
વરસાદને પગલે શહેરના રોડ અને રસ્તા પણ ભીંના થઈ ગયા હતા. કમૌસમી વરસાદને પગલે
વાતાવરણ ઠંડુગાર બનવાની સાથે શહેરના વિવિધ માર્ગો ઉપર નગરજનો ભર શિયાળે છત્રીઓ
લઈને ફરતા નજરે પડયા હતા. ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર હિંમતનગર અને આસપાસના
વિસ્તારોમાં બુધવારે સાંજે  ૫ વાગ્યા
સુધીમાં ૧ મિ.મિ. વરસાદ પડયો હોવાનુ જણાવાયુ છે. તેમ છતાં જો કમૌસમી વરસાદ વધુ થાય
તો તેના લીધે વિવિધ પાકોમાં નુકસાન થવાની શક્યતાઓ ખેડુત વર્ગ દર્શાવી રહ્યો છે.

બુધવારે સમગ્ર દિવસ દરમ્યાન હિંમતનગર શહેર અને જીલ્લાના
આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. તાપમાનના પારામાં વધારો થવા છતાં ઠંડીનુ પ્રમાણ યથાવત
જોવા મળ્યુ હતુ.

વરસાદની આગાહીથી માર્કેટયાર્ડમાં જણસો ન લાવવા સુચના અપાઇ

હવામાન વિભાગની આગાહીને પગલે એ.પી.એમ.સી. માર્કેટ દ્વારા
ખેત પેદાશો માર્કેટ યાર્ડમાં વેંચાણ અર્થે ન લાવવા સુચના અપાઈ

રાજય સરકારના મૌસમ વિભાગ તરફથી મળેલી આગાહીના પગલે ખેતીવાડી
ઉત્પન્ન બજાર સમિતિ
, હિંમતનગર (સા.કાં.) દ્વારા  તા. ૩૦-૧૧-૨૦૨૧ થી તા. ૦૨-૧૨-૨૦૨૧ દરમ્યાન
તીવ્ર ગતીથી પવન ફુંકાવાની તેમજ ભારે વરસાદની સંભાવના હોવાને પગલે ખેત પેદાશોને
નુકસાન ન થાય તે માટેે સુરક્ષિત જગ્યાએ ઢાંકી રાખવા તેમજ વેપારીઓને માર્કેટ
યાર્ડમાં વેચાણ અર્થે લાવેલ ખેત પેદાશોનો માલ સુરક્ષિત જગ્યાએ ઉતારવા તેમજ
તાડપત્રીથી ઢાંકી રાખવા સુચના કરાઈ હતી.

લગ્ન પ્રસંગોની રોનક ઝાંખી પડી

ફરીથી કમોસમી વરસાદે દસ્તક દેતાં જિલ્લામાં સેંકડો
પરીવારોમાં જયાં લગ્ન પ્રસંગો યોજાયા હતા ત્યાં રોનક ઝાંખી પડી હતી. કમોસમી વરસાદ
અને પવન ફુંકાતા અનેક પરીવારોને ખર્ચો પણ માથે પડવાની દહેશત ઉભી થઈ છે. અનેક
ઠેકાણે લગ્ન મંડપો પણ ઉડયા હતા અને ભોજન સમારંભોમાં  પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.

 શાકભાજીને વ્યાપક
ફટકો

કમોસમી વરસાદના કારણે જીરૂ, વરીયાળી, ઈસબગુલ અને શાકભાજીને ફટકો પડયો છે. આ તમામ પાકોમાં હવે જીવાતથી લઈ ઈયળનો
ઉપદ્રવ વધશે અને સાથે-સાથે વરીયાળીમાં કાળીયા નામનો રોગ પણ દેખા દેશે. આગામી
દિવસોમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને જરૂરી સલાહ-સુચનો આપવામાં આવી શકે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!