Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદના ગણેશ મેરેડીયન બિલ્ડીંગમાં આગ,ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા

On: November 29, 2021 1:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,રવિવાર,28
નવેમ્બર,2021

અમદાવાદના એસ.જી.હાઈવે ઉપર આવેલા ગણેશ મેરેડીયન નામના
બિલ્ડીંગમાં રવિવારે સાંજે બેઝમેન્ટમાં રહેલી ડકટમાં શોર્ટ સરકીટથી આગ લાગતા આગ
બિલ્ડિંગના દસમા માળ સુધી પ્રસરી ગઈ હતી.આગ લાગતા ગભરાટમાં સોળ વર્ષના એક કીશોરે
બિલ્ડીંગના બીજા માળેથી કૂદકો મારતા તેને ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં
સારવાર માટે દાખલ કરાયો હતો.એક અન્ય વ્યકિતને ઓકિસજન ચઢાવવો પડયો હતો.આ
બિલ્ડીંગમાં ફાયર સિસ્ટમ નાંખેલી હોવા છતાં આગ હોલવવા વીજ સપ્લાય બંધ કરાતા સિસ્ટમ
વર્કીંગ કન્ડીશનમાં હોવા છતાં કામમાં આવી શકી નહોતી.આગ હોલવવા કેટલાક માળના કાચ પણ
તોડવાની ફાયર વિભાગને ફરજ પડી હતી.કુલ ચાર લોકોને બચાવાયા હતા.

આ અંગે ફાયર કંટ્રોલ તરફથી મળતી માહિતી મુજબ,એસ.જી.હાઈવે ઉપર
આવેલા ગણેશ મેરેડીયન નામના દસ માળના કોમર્શીયલ બિલ્ડીંગમાં રવિવારે સાંજે ૬.૩૦ના
સુમારે આગ લાગતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ
,ડીવીઝનલ ફાયર
ઓફિસર મનીષ મોઢ
,કૈજાદ
દસ્તુર અને ત્રીસથી વધુ ફાયરનો સ્ટાફ આગ બુઝાવવા ઘટના સ્થળે દોડી ગયો
હતો.બેઝમેન્ટમાં આવેલી ઈલેકટ્રીક ડકટ આખા બિલ્ડીંગ સાથે હોરીજેન્ટલ અને વર્ટીકલ
રીતે કનેકટ કરાઈ હોવાથી બેઝમેન્ટમાં લાગેલી આગ જોતજોતામાં છેક ઉપરના માળ સુધી
પ્રસરી ગઈ હતી.દરમ્યાન આગ લાગતા ગભરાટમાં કિશન મેણા
,ઉંમર વર્ષ-૧૬ એ બીજા માળથી કુદકો મારતા તેને ઈજા પહોંચતા
સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જયારે છઠ્ઠા માળે
ધુમાડામાં ફસાયેલા નિમિત શુકલ નામના વ્યકિતને ગુંગળામણ અનુભવવાના કારણે ઓકિસજન
ચઢાવવો પડયો હોવાનું ફાયર વઇભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.બિલ્ડીંગમાં ધુમાડો
બહાર જવાની કોઈ જગ્યા રાખવામાં આવી ના હોવાથી ફાયરના જવાનોને અમુક ફલોર ઉપર કાચ
તોડી અંદર પ્રવેશ કરી આગને બુઝાવવી પડી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!