Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મઠીયા, ચોળાફળી સહિતના ફરસાણમાં પણ 25 ટકા સુધીનો ભાવ વધારો

On: November 2, 2021 3:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

બાયડ,તા. 1

દિવાળીના તહેવારોની હારમાળ શરૃ થઈ ચુકી છે ત્યારે વિવિધ પ્રકારના
ફરસાણના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ખાદ્યતેલમાં સતત આગ ઝરતી તેજીના કારણે મઠીયા
, ચોળાફળી જેવા ફરસાણમાં
પણ ૨૫ ટકા સુધીનો ભાવ વધારો થયો છે. મોઘવારીના અસહ્ય મારમાં દિવાળીના તહેવારોમાં લોકોને
ફરસાણ સહિતની અન્ય ખાવાની વસ્તુમાં કાપ મુકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. દિવાળીમાં
માત્ર મઠીયા અને ચોળાફળીનું વેચાણ કરનારા વેપારીઓને ખાદ્યતેલમાં અસહ્ય ભાવ વધારો થતાં
૨૫ ટકા સુધીનો ભાવ વધારો કરવાની નોબત આવી છે. ચોતરફ મોઘવારીએ માઝા મુકતા દિવાળીના તહેવારો
મધ્યમવર્ગીય પરિવારો માટે ફીકકા બની રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગૃહિણીઓએ
ફરસાણમાં પણ કાપ મુકવો પડશે.

દિવાળીના તહેવારો અને મઠીયા તેમજ ચોળાફળી વિનાની કલ્પના કરવી
અઘરી છે. જો કે
, ખાદ્યતેલના
અસહ્ય ભાવ વધારાના કારણે મઠીયા અને ચોળાફળી 
પણ મોંઘી બની છે. ચોળાફળી નું વેચાણ કરતા વેપારી કહે છે કે
, ગત વર્ષ કરતાં ચોળાફળી
અને મઠીયાના ભાવમાં ચાલુ વર્ષે ૨૫ ટકાનો વધારો થયો છે. બહુ વખત ઉત્તરસંડાના મઠીયાના
એક કિલોના પેકેટ નો ભાવ રૃા.૨૨૦ થી ૨૨૫ થઈ ગયો છે. ચોળાફળીનો ભાવ પણ ૨૫ ટકા જેટલો વધયો
છે અને હાલ તેનો પણ એક કિલોનો ભાવ રૃા.૨૨૦ થી ૨૨૫ ચાલી રહ્યો છે. આ ઉપરાંત મીઠાઈ
, ફરસાણની દુકાનો ઉપર
વેચાતા ચવાણા
, સેવ, પુરી, શકકરપાડા,

સહિતના ફરસાણના ભાવમાં પણ ૨૫ ટકાનો વધારો થયો છે. સામાન્ય રીતે
એક ફરસાણની કિલોની સરેરાશ કિમંત રૃા.૨૦૦ ની આસપાસ હોય છે પણ ચાલુ વર્ષે એક કિલો ફરસાણનો
ભાવ રૃા.૨૨૫ સુધી પહોંચી ચુકયો છે. તેલમાં થયેલા ભાવ વધારાની સીધી અસર દિવાળીના નાસ્તા
અને ફરસાણા ઉપર જોવા મળી રહી છે. ગયા વર્ષે રૃા.૨૦૦ થી ૨૫૦ માં કિલોમાં વેચાતા વિવિધ
ફરસાણ મોંઘા બન્યા છે અને અત્યારે રૃા.૨૫૦ થી ૩૫૦ માં વેચાઈ રહ્યા છે.

દિવાળીના તહેવારોમાં ફરસાણના ભાવ ઘટશે તેવી હાલ કોઈ શકયતા જણાઈ
રહી નથી. કેમ કે
, સિંગતેલ અને
કપાસીયા તેલ ઓલટાઈમ હાઈ ચાલી રહ્યા છે અને તેના ભાવમાં તોતિંગ વધારો નોંધાયેલો છે અને
ડબ્બાની સપાટી રૃા.૨૫૦૦ ને આંબી ચુકી છે. ગયા વર્ષે તેલનો ડબ્બો રૃા.૧૯૦૦ ની આસપાસ
મળતો હતોે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!