Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પોલેન્ડની બોર્ડર પર ફસાયેલા ભારતીયોની મદદે આવ્યો આ ગુજરાતી, કહ્યું- ચિંતા ના કરશો

On: March 2, 2022 7:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

નવી દિલ્હી, તા. 02 માર્ચ, 2022, બુધવાર

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે સાતમો દિવસ છે. યુદ્ધના 6 દિવસ વિત્યા બાદ પણ રશિયા દ્વારા સતત યુક્રેન પર હુમલા કરવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે ભારત દ્વારા ‘ઓપરેશન ગંગા’ હેઠળ ફ્લાઈટ ઓપરેશનને વેગ આપવામાં આવ્યો છે.

ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેનમાં ભારે સંકટમાં ફસાયા છે. પોલેન્ડ સરહદે 300 જેટલા ભારતીયો ફસાયેલા છે. તેના અંતર્ગત યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એક નોટિફિકેશન જાહેર કરી દીધું છે. ભારતીયોને એવું કહેવામાં આવ્યું છે કે, તાત્કાલિક ધોરણે ભારતીય નાગરિકોએ યુક્રેનની રાજધાની કીવને ખાલી કરવી પડશે. સાથે જ એમ્બેસીએ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવા આદેશ આપેલા છે. 

આ પરિસ્થિતી મધ્યે પોલેન્ડમાંથી ભારતીયોની મદદ માટે ગૃહાંગ પટેલ નામનો યુવાન આગળ આવ્યો છે. મૂળે આણંદના ગૃહાંગ પટેલે પોલેન્ડ ખાતેથી એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને મદદ માટેની તૈયારી દર્શાવી છે. ગૃહાંગ પટેલે વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, તે પોલેન્ડની સરહદે ફસાયેલા ભારતીયોની તેનાથી બનતી તમામ મદદ કરશે. ગૃહાંગ પટેલ દ્વારા પોતાનો મોબાઈલ નંબર +48729663296 પણ જાહેર કરવામાં આવ્યો છે. 

તેણે જણાવ્યું હતું કે, કોઈપણ ભારતીયોને મદદની જરૂર હોય તો સંપર્ક કરવો. તે ભારતીયોને રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થા પૂરી પાડશે. ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને જરૂર હોય તો પોલેન્ડમાં અમારો સંપર્ક કરે.

ગૃહાંગ પટેલ (28 વર્ષ) મૂળે આણંદના ઓડ ગામનો વતની છે અને પોલેન્ડની રાજધાની વોર્સો ખાતે સ્થાયી થયેલો છે. તે વોર્સો ખાતે ફુડ ડિલિવરી બિઝનેસમાં સંકળાયેલો છે. તે પોતાના લગ્ન બાદ ગત 26 જાન્યુઆરીના રોજ પોલેન્ડ પરત ફર્યો હતો. ગૃહાંગ અને તેના સાથીદારોએ અત્યાર સુધીમાં 30-40 લોકોને આશરો આપ્યો છે અને તે સિવાય અન્ય લોકોએ વોર્સો ખાતેના હિંદુ ભવન અને ગુરૂદ્વારામાં શરણ લીધું છે. 



[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!