Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મોટાભાગના છાત્રોનો મોબાઈલ બંધ રહેતાં પરિવાર સંપર્ક વિહોણો

On: March 2, 2022 2:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર, તા. 1

યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધ પછી શાંતિ
મંત્રણા નિષ્ફળ જતાં સમગ્ર વિશ્વ ચિંતિત છે. પોલેન્ડ સરહદે પહોંચ્યા પછી ફસાયેલા
છાત્રોને હવે બોર્ડર પાર પ્રવેશ અપાતાં વાલીઓએ રાહત અનુભવી છે. જિલ્લામાં પોલેન્ડ
સરહદે ફસાયેલા છાત્રોના મોબાઈલ બેટરી ડિસ્ચાર્જ થતાં ૪૮ કલાકથી બંધ હોવાથી પરિવારજનો
સંપર્ક વિહોણા બની ચિંતિત બન્યા છે જેથી અન્ય જિલ્લાના છાત્રોના સંપર્કથી ખબર-અંતર
પૂછી રહ્યા છે.

યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા ભયાનક યુદ્ધની સ્થિતિમાં
ફસાયેલા જિલ્લાના મેડીકલ છાત્રો પોલેન્ડ બોર્ડરે પહોંચ્યા પછી ત્યાં અટવાયા હતા.
હજારોની સંખ્યામાં ભીડ એકત્ર થતાં અંધાધૂંધીનો માહોલ ઉભો થયો હતો. ખાસ કરીને
પોલેન્ડ બોર્ડરે ફસાયેલા વિદ્યાર્થીઓ સરહદ વટાવી અંદર પ્રવેશવામાં સફળ થયા છે.
માઈનસ ૧૧ ડિગ્રી ઠંડીમાં વિદ્યાર્થીઓ ક્યારે બોર્ડર ખૂલશે તેની રાહ જોઈને બેઠા હતા
પરંતુ સ્થિતિ વધુ સ્ફોટક બનતાં માનસિક રીતે ડગમગી ગયા છે. પરંતુ આખરે હવે
પોલેન્ડની બોર્ડરે ફસાયેલા વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે જેમાં તલોદ
તાલુકાના નાનાચેખલા ગામના મેડીકલ છાત્ર ભાવિન પટેલ અને અન્ય ગુજરાતી છાત્રો બોર્ડર
પ્રવેશમાં સફળ રહ્યા છે. મોટાભાગના છાત્રોના ઈમીગ્રેશન ઉપર સહી-સિક્કા થયાનું પણ
જાણવા મળ્યું છે.

જ્યારે ભારતીય એમ્બેસી દ્વારા સરહદ પાર કરવામાં સફળ રહેલા
છાત્રો માટે પોલેન્ડની હોટલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હવે ગમે તે ઘડીએ ઓપરેશન
ગંગા અંતર્ગત પોલેન્ડ પહોંચેલા મંત્રી વી. કે. સિંહ પણ ત્યાં પહોંચી ફસાયેલા
છાત્રોને પરત લાવવા માટે સક્રીય થતાં છાત્રોના પરિવારજનોએ મોટી રાહત અનુભવી છે.
ભયાનક યુદ્ધ અને કાતિલ ઠંડીની મોસમમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ક્યારે આવશે
તેની ચિંતા પરિવારજનોને રાત-દિવસ સતાવી રહી હતી પરંતુ હવે કેટલાક છાત્રોનો પોલેન્ડ
પ્રવેશ થઈ જતાં આગામી ટૂંક સમયમાં જ જિલ્લાના પોલેન્ડ બોર્ડરે ફસાયેલા મેડીકલ
છાત્રોની ઘરવાપસી શક્ય છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!