Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરની 108 નંબરની એમ્બ્યુલન્સના સ્ટાફે વધુ એક વખત પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

On: February 4, 2022 4:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– અકસ્માત ગ્રસ્ત બનેલા યુવાનની રોકડ-મોબાઈલ-અને જરૂરી ડોક્યુમેન્ટ તેના પરિવારજનોને શોધી ને સુપ્રત કર્યા

જામનગર તા ૪, જામનગરની ૧૦૮ની એમ્બ્યુલન્સની ટીમે ગઈકાલે રાત્રે અકસ્માતગ્રસ્ત બનેલા એક યુવાન ની રોકડ રકમ મોબાઇલ ફોન તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સહિતનું સાહિત્ય ઇજાગ્રસ્ત યુવાનના પરિવારજનો ને શોધીને તેને સુપ્રત કરી દઈ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં રહેતો યુવરાજસિંહ વાઢેર નામનો એક યુવાન ગઇકાલે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં મોટી ખાવડી થી પોતાનું બાઈક લઈને જામનગર તરફ આવવા માટે નીકળ્યો હતો, જે દરમિયાન સિકકા પાટીયા આસપાસના વિસ્તારના અચાનક એક ખુંટિયો માર્ગ પર આવી જતાં બાઈક સાથે ટકરાઈ જવાથી અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં યુવરાજસિંહ ને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ બેશુદ્ધ બન્યો હતો. જે બનાવ અંગે ૧૦૮ની ટીમને જાણ કરવામાં આવતાં ૧૦૮ની ટીમના ઇ.એમ.ટી. મોહમ્મદભાઈ શફી, તેમજ પાયલોટ આશિષભાઈ મુંગરા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં ઇજાગ્રસ્ત યુવાન માર્ગ પર બેશુદ્ધ અવસ્થામાં પડેલો હતો.

જેને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડયો હતો. જ્યાં તેની સઘન સારવાર ચાલુ કરાવી દીધી હતી. આ સમયે ઇજાગ્રસ્ત યુવાન ની પાસે રોકડ રકમ હતી, ઉપરાંત મોબાઇલ ફોન અને એટીએમ કાર્ડ, પાનકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહીતના જરૂરી ડોક્યુમેન્ટ પણ હતા. જે તમામ એકત્ર કરી લઇ ઇજાગ્રસ્તના મામા ને શોધી કાઢ્યા હતા, અને તેઓને જી.જી.હોસ્પિટલમાં બોલાવી લઈ તમામ ડોક્યુમેન્ટ રોકડ અને મોબાઈલ વગેરે સુપરત કરી દીધા હતા, અને પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેથી યુવરાજસિંહ ના પરિવારજનો એ ૧૦૮ ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો, અને તેઓની પ્રમાણિકતાની પ્રશંષા પણ કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!