[ad_1]

જામનગર તા. 25
જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાતરના ભાવ વધારાને પરત ખેંચવાની માગણી સાથે જિલ્લા કલેકટર કચેરીએ જઈ રજૂઆત કરી છે, અને વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું છે.

હાલના સમયમાં ઉત્તરોતર વધી રહેલો ખાતરનો ભાવ પરત ખેંચવા અને ખેડૂતોને શિયાળુ પાક માટે યુરિયાની જરૂરિયાત હોય, તે સમયસર મળતો ન હોવાથી પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. જે અટકાવવાના ભાગરૂપે આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જઈ ભાવ વધારો પરત ખેંચવાના બેનર સૂત્ર સાથે રાખ્યા હતા, અને મુખ્યમંત્રીને સંબોધીને વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું હતું.
[ad_2]
Source link






