Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં વ્યાજખોરોએ ફરી માથું ઊંચક્યું, એક યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલ કર્યાની પોલીસ ફરિયાદ

On: December 30, 2021 2:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– બે વ્યાજખોરોએ સાડા ત્રણ લાખ નું ચાર લાખ વ્યાજ વસૂલી લીધા પછી વધુ સાડા સાત લાખ ની માંગણી કરી મોબાઈલ ઝૂંટવી લીધો

જામનગર તા ૩૦, 

જામનગરમાં વ્યાજખોરોએ ફરીથી માથું ઉચક્યું છે અને એક યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલ કરવાનો કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો છે. જામનગરના પુષ્કરધામ સોસાયટી વિસ્તારમાં રહેતા એક યુવાને બે વ્યાજખોરો પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા પછી તેનું ચાર લાખ રૂપિયા જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી દીધા પછી વધુ સાત લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાથી પોલીસે બે વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગતો એવી છે કે જામનગરમાં પુષ્કરધામ સોસાયટીમાં રહેતા અને મૂળ ખીજડીયા ગામના વતની પંકજ વિનોદભાઈ મુંગરા નામના ૩૧ વર્ષના પટેલ યુવાને આજથી બે વર્ષ પહેલા જામનગરમાં એસટી ડેપો વિસ્તારમાં ફાઇનાન્સ ની ઓફિસ ધરાવતા મયુરસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજા પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતા, અને તેનો છેલ્લા બે વર્ષથી વ્યાજ ભરતો હતો. આજ દિન સુધીમાં વ્યાજ સ્વરૂપે ચારેક લાખ રૂપિયા ચૂકવી દીધા હતા, તેમ છતાં પંકજ પાસેથી વ્યાજ સહિત સાડા સાત લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

દરમિયાન તાજેતરમાં પંકજ મુંગરા ને એસટી ડેપો પાસે આવેલી પોતાની ઓફિસે બોલાવી તેને ધોકા વડે માર માર્યો હતો, અને મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. જેથી સમગ્ર મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. અને પોલીસે પંકજ મુંગરાની ફરિયાદના આધારે મયુરસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજા સામે આઈ.પી.સી. કલમ 386,392, 323,504,506-2 તેમજ મની લોન્ડરીંગ એક્ટ ની કલમ 5-4૦-42  મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!