Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરામાં જન મહેલ સીટી બસ હબમાં લાગેલા ટાઈમ ટેબલો નીચે ઉતરાવી લેવાતા મુસાફરો મુશ્કેલીમાં

On: November 29, 2021 10:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 29 નવેમ્બર 2021 સોમવાર

વડોદરામાં રેલવે સ્ટેશન પાસે આવેલા જન મહેલ સીટી બસ હબમાં સિટી બસના રૂટ મુજબ ટાઈમટેબલ લગાવ્યા હતા, પરંતુ તાજેતરમાં એ ટાઈમ ટેબલ ઉતરાવી લીધા હોવાથી મુસાફરો અટવાઇ પડે છે, ટાઈમ ટેબલો હાલ ઓફિસમાં ઢગલો  થઇ પડી રહ્યા છે. 

સિટી બસના સંચાલક દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરને ટાઇમટેબલ નો મુદ્દો ધ્યાનમાં આવતા ટાઈમ ટેબલ લગાવવા સૂચના આપી હતી, પરંતુ પ્રોજેક્ટ મેનેજર એ તમામ ટાઈમ ટેબલ નીચે ઉતરાવી દીધા છે. 

સિટી બસના મુસાફરો માટે જો સુવિધા આપી ન શકાતી હોય તો પછી શા કામની? તેઓ માટે ટાઈમ ટેબલ ન મૂકી શકાય? આ કયા પ્રકારનો કરાર છે? અહીં ડિજિટલ ટાઈમ ટેબલ માં ફક્ત રુટ ની વિગત દર્શાવાય છે, પરંતુ ટાઈમ દર્શાવાતો નથી. રૂટ નંબર 1 થી 32 સ્ક્રીન પર જોવા મળે છે પણ મુસાફરોને ફરી પોતાના રૂટ જોવા મિનિટો સુધી માથું ઉપર ઊંચું રાખીને સ્ક્રીન સામે રાહ જોતા રહેવું પડે છે, ત્યાં સુધીમાં તો દસ મિનિટ ની ફિક્વન્સી માં આવતી બસો પણ જતી રહે છે.બસ કયા ટાઇમે મળશે તેની માહિતી નહીં મળતા મુસાફરો પણ ઓછા થઈ ગયા છે. 

આ ઉપરાંત પાર્કિંગ પે એન્ડ યુઝ હોવાથી મુસાફરોને પોસાય નહીં. સીટી બસ હબ ની એરપોર્ટ સાથે સરખામણી ન થાય. ઓવરહેડ ચાર્જ સિટી બસના મુસાફરોને પરવડતો નથી, માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરી છે. આ ઉપરાંત મુસાફરો માટે પીવાની પાણીની સુવિધા જાહેરમાં હોવી જોઇએ તે નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!