Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર જિલ્લામાં કોરોનાના કેસ ઘટ્યા: પરંતુ મૃત્યુનો દર યથાવત

On: February 4, 2022 12:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં ચાર દર્દીઓએ દમ તોડયો

જામનગર :  જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ મૃત્યુનો દર યથાવત્ રહ્યો છે. આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેર અને ગ્રામ્યના ૬૩ કેસ નોંધાયા છે, જેની સામે ૨૨૧ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે. જોકે કોરોના ના કારણે ૪ દર્દીઓના મૃત્યુ થયા છે. જેથી હજુ પણ લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. જી.જી.હોસ્પિટલમાં કુલ ૬૯ દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી ૧૩ દર્દીને વેન્ટિલેટર પર રખાયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલથી કોરોનાને કેસનો આંકડો ધીમેધીમે ઘટી રહ્યો છે. જેમાં જામનગર શહેરના ૪૯ જ્યારે ગ્રામ્ય ના ૧૩ સહિત કુલ ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે જામનગર શહેરના ૧૭૮ દર્દીને કોરોના મુક્ત જાહેર કરાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૪૩ સહિત કુલ ૨૨૧ દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

જોકે મૃત્યુનો દર યથાવત રહ્યો છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા બાલુભા રામસંગજી રાઠોડ નામના ૫૯ વર્ષ ના દર્દીનું કોવિડ હોસ્પિટલ માં સારવાર દરમિયાન ગઈકાલે બપોરે મૃત્યુ નિપજયું છે. તે જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામના ઝીણાભાઈ ઉકાભાઇ ગામી નામના ૬૫ વર્ષીય વયોવૃદ્ધ દર્દીનું પણ કોરોના ની સારવાર દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને બપોરે મૃત્યુ નિપજયું છે.

ઉપરાંત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના લાખોટા મિગ કોલોનીમાં રહેતા પન્નાબેન પ્રણવભાઈ ગાંધી (ઉમરવાડા ૭૫)નું કોરોના ની સારવાર દરમિયાન ગઇકાલે મોડી રાત્રે મૃત્યુ નિપજયું છે. તે જ રીતે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા મગનભાઈ પોપટભાઈ વાળા નામના ૮૦ વર્ષ ના દર્દીનું પણ આજે પરોઢીયે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને કોરોના ના કારણે ૪ દર્દીઓના મૃત્યુને લઈને શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે, અને લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

આ ઉપરાંત જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં ૧૦૦થી વધુ દર્દીઓ દાખલ હતા, જેમાં પણ રિકવરી રેટ સારો રહ્યો છે, અને સાજા થયેલા દર્દીઓને રજા આપી દેવામાં આવી હોવાથી હાલ માત્ર ૬૯ દર્દી દાખલ છે, જેમાં ૬૪ દર્દી કોરોના પોઝીટીવ છે. જ્યારે ત્રણ દર્દીને કોરોનાના શંકાસ્પદ દર્દી ગણી સારવાર અપાઇ રહી છે.હજુ પણ ૧૩ દર્દી વેન્ટિલેટરની મદદથી સારવાર મેળવે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૩૬૭ કોવિડ પરીક્ષણ કરાયા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૧,૨૪૩ પરીક્ષણ કરાયા છે, અને સમગ્ર જિલ્લામાં કુલ ૩,૬૦૦ લોકોનું પરીક્ષણ કરાયું છે. જેમાં ૬૩ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!